________________
0 - ૭ : સંસારનાં અને મોક્ષનાં કારણોનો વિવેક : - 57 - ૯૯ અહીં પણ પાપપ્રવૃત્તિઓ અને પાપવિચારો વગેરે, જે માબાપને પણ ન કહેવાય તે બધા ધર્મગુરુને કહેવા પડે.
શરીરના સ્વાસ્થ માટે ડૉક્ટરની બધી આજ્ઞા માનવી પડે, તો અનંતકાળથી સંસારમાં રખડતા આત્મા માટે કાંઈ નહિ ? માટે દુનિયા દુઃખી શાથી છે એ તપાસો. સવળા પાસા પણ ઊલટા કેમ પડે છે ? શાંતિના સ્થાને પણ સળગી મરવાનું કારણ શું ? એ સમજો તો સુખના વાસ્તવિક પ્રયત્નો થાય. ખાતરીથી માનજો કે દુનિયાના પદાર્થો પાછળની દોડઘામમાં સુખ નથી જ ! સ્વાર્થ માટે ગુલામગીરી કરીને લક્ષ્મી મેળવી પણ, મોજ માણી પણ, પાંચ-પચીસ વર્ષ મોટરમાં ફર્યા પણ, પણ પછી શું? વેપારીએ વેપાર કરતાં તિજોરીનું તળિયું કાણું ન થાય તેની કાળજી રાખવી જોઈએ કે નહિ ? એવી કાળજી ન રાખે તો એ જ વેપારીને ધોળે દિવસે કંગાળ થવું પડે. મનુષ્ય તો બહુ સાવધ રહેવું જોઈએ : તેમાં પણ જેને તો કેટલું સાવધ રહેવું પડે ! બીજા બોલે તેમ આપણે પણ કેમ જ બોલીએ ? કાંઈ પણ ભણ્યા વગર, જાણ્યા વગર, સમજ્યા વગર, અભ્યાસ વગર, દેવ-ગુરુ-ધર્મ તથા આગમ માટે ગમે તેમ બોલવું ? અંકુશ જ નહિ ? ખરેખર, આજે એ જ હાલત છે. એવાઓ કહે છે કે “અમને અમારા વિચારો કહેવાનો હક્ક છે. તો શું તમારા પૂર્વજોનો હક્ક નહિ ? ખોટી ટીકા કરવી ખરી અને સાચી ટીકા પણ અને તેય કેવળ સુધારણાની બુદ્ધિથી કરાઈ હોય તો તેને સાંભળવી પણ નહિ, એ ચાલે ? તમારી વીસમી સદીનો કહેવાતો કાનૂન તો સ્વીકારો છો કે નહિ ? તમને ગમે તેમ તમે કહો ને બીજાઓને ગમે તે બીજા કહે, - એ પ્રત્યાઘાત સાંભળવા તૈયાર શા માટે નથી રહેતા? પોતે વાત કરે ત્યાં હક્ક અને સામો સ્વાર કલ્યાણના ઇરાદે ટીકા કરે, તો કહે કે “અમારી ટીકા થાય જ નહિ.' આ સ્થિતિમાં વિસ્તાર થાય શી રીતે ? કાં તો વાદી કે પ્રતિવાદી કાંઈ બનો નહિ અને બનો તો બેયના હક્ક સ્વીકારો !
ભવાભિનંદી આત્માઓને જેમ એવાઓ કહે છે કે ભવનાં સંસારનાં વખાણ કરવાનો, વિષયવિલાસ-મોજમજા-રંગરાગનો ઉપદેશ કરવાનો, ધર્મહીન બનાવનારી વાતો કરવાનો એમને હક્ક છે, તેમ આત્માનંદી આત્માને કેવળ આત્મકલ્યાણનો માર્ગ બતાવવાનોય શું અધિકાર નથી ? ઉગ્ર ભવાભિનંદી તરીકે જે એનું જ ગાવામાં કલ્યાણ માનતો હોય તે ભલે તે જ કરી લે, પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org