________________
૧૦૦
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
-
0
તે આત્માનંદીનેય એનું કેમ ન બોલવા દે ? પ્રામાણિકતાનાં, ચોખ્ખા માલનાં બોર્ડ ભલે બધા મારે, પણ સારા માલવાળા વેપારીને ભગાડવાના પ્રયત્નો કરવા જેવી નાલાયકી જે કરે તેને શું કહેવું? પોતાના જ હક્કના રાગડા ગાવા અને પારકા હક્કને કચડી નાખવા મથવું, એ કઈ જાતની માણસાઈ અને કઈ જાતનો સુધારો ?
જમાનો બગડ્યો, ફરી ગયો, એ વાત ખરી, કબૂલ, પણ થયું શું એ તો કહે ! નિદાન પૂરું કરી નાખો. જમાનો ફરશે એ તો શાસ્ત્રકાર પણ કહી ગયા છે. ભગવાન પોતે કહી ગયા છે કે અવસર્પિણી કાળમાં વસ્તુ હીન હીન ભાવને પામશે ! ઉત્સર્પિણી કાળમાં વધવાનો ક્રમ છે અને અવસર્પિણી કાળમાં ઘટવાનો ક્રમ છે. શાસ્ત્રકાર કહી ગયા કે અમુક વસ્તુ અમુક કાળમાં થાય, પછી ન થાય. જમાનો બગડ્યો એ તમે કાંઈ નવું નથી કહેતા. ભગવાન કહી ગયા છે. પૂર્વાચાર્યો પણ તદનુસાર કહી ગયા છે કે “પતનકાળ આવવાનો અને પાખંડીઓ વધવાના ! આ વાતને માનતા હોઈએ તો આપણે કરવું શું એ વિચારો ! શાસ્ત્ર લખ્યું કે પંચમકાળમાં સમ્યક્તની પ્રાપ્તિ તેમજ રક્ષણ કઠિન છે, માટે મજબૂત બનો, દઢચિત્ત બનો. આ કહેવા યોગ્ય છે કે આજ કાલના વિચારોને આધીન થવાનું કહેવા યોગ્ય છે ? શું કહેવાથી કલ્યાણ ?
સ્વપર શાસ્ત્રનિષ્ણાત શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ પણ કહ્યું કે “દૂષમ કાળના દોષથી પીડાતા અનાથ એવા અમારે માટે જો આ શ્રી જિનેશ્વરદેવનું આગમ ન હોત તો અમારું થાત શું ?” આ રીતે ચાલુ કાળ ખરાબ છે એ તો એ મહાપુરુષ પણ પ્રગટ કરી ગયા. શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે “પૂર્વ પણ ગયાં, ગયું ઘણું, રહ્યું થોડું, પણ જે રહ્યું છે તે પણ અમારા માટે બહુ છે : આટલું પણ ન હોત તો અમારું થાત શું ?” ધર્મની સામે વિગ્રહ ઊભો થાય ત્યારે આગમ વિના થાય શું?
કાળ બગડ્યો, એ નવી વાત નથી. માટે તો સાધુપુરુષો ફરમાવે છે કે રક્ષણનાં સાધનો વધારો ! ધાર્મિક ક્રિયાકાંડમાં બહુ ચુસ્ત બનો ! જ્યારે ધાડ પડે ત્યારે જેનામાં શક્તિ હોય તે તો હથિયાર હાથમાં લે, પરંતુ તાકાત ન હોય તો કમાડ વાસી ભરાઈ જાય, કમાડને અંદરથી તાળું મારે અને પાછળ બારણું પણ રાખે કે વખતે નાસવા પણ થાય. મતલબ રક્ષણની તૈયારી તો કરે ને ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org