SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ 941 - ૩ઃ સંસારનાં અને મોક્ષનાં કારણોનો વિવેક : - 57 – ૧૦૧ તેમ કાળનો પંજો ફર્યો એ વાત સાચી, પરંતુ તેથી એની સામે બચાવ કરવો કે એ પંજામાં દબાઈ મરવું ? ધર્મની દરેક વાતમાં “આ ન ચાલે, આ ન ચાલે !” - આમ કરવામાં આવે એ કેમ ચાલે ? સંતતિને કુલદીપક બનાવવી છે? કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે “પંચમકાળ એ ફણીધર છે, પણ એના માથા પર શ્રી જિનમૂર્તિ અને શ્રી જિનાગમરૂપ મણિ છે.” એ મણિનો ઉપયોગ કરતાં આવડે, એ મણિની સેવા ને પૂજા કરતાં આવડે, તો એને ફણીધરરૂપ આ પંચમકાળ પણ કાંઈ ન કરી શકે. ખરેખર, તેવા આત્માને વિષધર પણ વિષહર બને. પણ આજ તો એ મણિનો નાશ કરી નાખવાની વાતો ચાલે છે. પણ મૂર્ખાઓને એટલુંય ભાન નથી કે વિષનો નાશ કરાય કે મણિનો ? ફણીધરનું ઝેર મરાય કે ઝેર મારનાર મણિને મરાય ? અહીં ફણીધર એટલે સાપ એમ ઊંધું ન લેતા ! આ પંચમકાળરૂપ ફણીધરની વાત છે. - કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા તો કહે છે કે “મારે તો પાંચમો આરો પણ ચોથા જેવો છે.” પણ શાથી ? શ્રી જિનમુર્તિ અને શ્રી જિનાગમરૂપ મણિ હાથમાં છે તેથી ! મણિ હાથમાં હોય ને ઉપયોગ કરતાં આવડે તો પછી ચિંતા પણ શી ? શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા પણ કહે છે કે “બુદ્ધિમાન વક્તા અને શ્રદ્ધાળુ શ્રોતા મળે તો, તે પ્રભુ! તારું શાસન આજ પણ એકછત્રીય થાય !” કહેનારા ગમે તેમ હાંયે રાખે અને સાંભળનાર સ-અસહ્ના વિવેક વિના ઝૂક્યું જાય, તો પરિણામે બેય મરે નહિ તો બીજું થાય પણ શું ? ધર્મના કહેનારે ધર્મશાસ્ત્ર મુજબ જ જોઈને કહેવું જોઈએ અને સાંભળનારે પણ શ્રી જિનાજ્ઞા મુજબ જ કહેવાય છે કે નહિ, એનો વિવેક કરવા જેટલા વિચક્ષણ બનવું જોઈએ, કાળજી રાખવી જોઈએ. પાપના ઉદયે ભલભલાની મતિ ફરી જાય છે, એટલે સાંભળનારે સ્વાર કલ્યાણ સાધવા માટે વિચક્ષણ થવું જોઈએ. કહેનારે શ્રી જિનાગમને આધીન રહેવું જોઈએ અને સાંભળનારે શ્રી જિનાગમને અનુસરતું જ સાંભળવું જોઈએ. કુંભારને ત્યાંથી ત્રણ પૈસાનો કે ત્રણ આનાનો ઘડો લાવો છો તે પણ ટકોરા મારીને, અને એટલેથી ખાતરી ન થાય તો તેમાં પાણી નાખીને હલાવી પણ જુઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy