SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 2 છો, તો આટલી આવડત અહીં પણ જોઈએ, નહિ તો ભીખ માગશો !તમે અમારા વેચાણ નથી કે અમે તમારા વેચાણ નથી : સાધુની સાધુતા સાથે તમે વેચાણ છો અને શ્રાવકની શ્રાવકતા પૂરતો જ તમારી સાથે અમારો સંબંધ ! બાકી કાંઈ તમારી ગૃહસ્થાઈ સાથે અમે વેચાણ નથી. તમારે પણ વ્યક્તિ સાથે સંબંધ નથી, પણ વ્યક્તિમાં રહેલી સાધુતા સાથે સંબંધ છે. અમારી સાધુતાની તમને ગરજ છે અને તમારું પણ કલ્યાણ થાઓ એ જ અભિલાષાથી અમારે તમારો આ સંબંધ ! બાકી તમારી ગૃહસ્થાઈની અમને પરવા નથી. અમે ગૃહસ્થાઈ માગીએ તેમાં કલ્યાણ કે તમે સાધુતા માગો તેમાં? બેયનું જેમાં કલ્યાણ તે કામ કરવા યોગ્ય ! બેયનો જેમાં અધ:પાત તે કામ કરવા યોગ્ય નહિ. કાળ બગડ્યો એમ તો બધાએ કહ્યું, પણ કરવું શું ? ડાહ્યો બાપ એમ કદી ન કહે કે “છોકરો હઠીલો છે માટે એ કહે તેમ કરવું, ભલે મરજી મુજબ વર્તે.” છોકરાને ગૃહદીપક કે કુલદીપક બનાવવો હોય તો એની મરજી મુજબ જ ન ચાલવા દેતા ! દીપક એટલે પ્રકાશનાર પણ બાળનાર નહિ ! કલદીપક એટલે કુળને પ્રકાશનાર, પણ કુળને બાળનાર નહિ ! માટે બાળકમાં સંસ્કાર રેડો ! અમુક ધર્મક્રિયા તો કરવી જ જોઈએ એવી આજ્ઞા પણ કરો ! ધર્મની આજ્ઞાઓ બનતી રીતે પળાવો ! જૈનનું સંતાન પૂજા વિના કેમ જ રહે ? “હશે, બાળક છે : હશે, બાળક છે' - એમ કર્યું તો જિંદગી સુધી રોવું પડશે. પછી તો કહેશો કે “એવો પાક્યો કે......પણ પછી તો ડાહ્યા માણસો કહેશે જ કે “પાક્યો નહિ પણ પકવ્યો.” અંકુશ હોય તો એ જ બાળક “બાપાજી-બાપાજી' કરે, મોંમાંથી બોલે તે જાણે મોતી ખરે, વડીલને હાથ જોડે અને આત્મહિતસ્વી વડીલની દરેક આજ્ઞા શિરસાવંદ્ય જ ગણે. બચ્ચાંઓને મોજમજામાં જોડવાં, હોટેલમાં, નાટકચેટક કે સિનેમામાં જતાં કરવાં, એ ઇરાદાપૂર્વક એના આત્મહિતનું ખૂન કરવા બરાબર છે. આજનાં માબાપ તો એવે સ્થળે સાથે લઈને જાય અને વળી રસપૂર્વક વર્ણન કરીને બતાવે. સારું તો યાદ ન રહે, પણ ભાંડચેષ્ટા યાદ રાખે. સામાન્ય રીતે ફારસ અને વિલાસ અભિનય બધાને યાદ રહે અને એ સ્થાનો આખરે જિંદગીની પાયમાલી કરે ! ત્યાં મોટે ભાગે વિષય, વિલાસ ને શૃંગારને ઉત્તેજન હોય. નખરાં, ચાળા, ચટકા જોવા તો સામાન્યતઃ સૌ જાય. જોનારની મોટે ભાગે ભાવના જ ત્યાં ! કેટલાંક ભવાભિનંદી માબાપને તો એ ભય કે “જો આમાં ન જોડીએ અને સારા સ્થાનમાં જોડીએ અને રખે સાધુ બની જાય તો !' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy