________________
Aણ
- ૭ : સંસારનાં અને મોક્ષનાં કારણોનો વિવેક : - 57 - - ૧૦૩
સભા : નાટકમાં પણ સારા વિચાર હોય.
એનો ઇન્કાર નથી, પણ એ કેટલા પ્રમાણમાં ? અને એ સારા વિચારોને લેનાર કેટલા પ્રમાણમાં તથા સારા વિચારોને લેનાર કેટલા? નાટકમાં સારો વિચાર લેવા જવું, એ પથ્થરના ઢગલામાંથી હીરો લેવા જવા જેવું છે. કદાચ કોઈ પથ્થરના ઢગલામાં બે-ચાર હીરા હોય પણ ખરા, પણ એમાંથી હીરો લેવાનું કામ કોઈ સામાન્યનું નહિ પણ ઝવેરીનું! અને એવા ઝવેરી પણ કેટલા ? ઝવેરી સિવાયનો બીજો જો હાથ મારે તો તે પાણો જ લે, અને મજૂરી પણ માથે પડે તથા લોક પણ બેવકૂફ કહે ! જો હીરાના ઢગલામાં જ હાથ મારે, તો તો નાનો કે મોટો પણ હીરો તો હાથ આવે અને કોઈ મશ્કરી પણ ન કરે. હવે જ્યાં ઘણેખરે ભાગે શૃંગાર, મોજમજા, રંગરાગ વગેરે હોય, ત્યાંથી ગુણ લે ? અને જે જાય તે પણ આવા જ ઇરાદે ગુણ લે ? ગુણને માટે ખાસ જનાર તે હજી ગુણ લે એ સંભવિત, પણ એ ભયમાં તો ખરો. અને જેને ગુણ જ જોઈતા હોય, એને વળી એવા ભયસ્થાનમાં-દુર્ગુણથી ભરેલા સ્થાનમાં શા માટે જવું પડે? શું બધા જનારા એ માટે જાય છે ? “ચાલો, ગમ્મત આવશે, અરધી રાત સુધી ચા-પાણી પીવાશે લહેજત આવશે, સરખે-સરખા જોવા જવામાં લહેર પડશે.' - આવી ભાવનાથી તો સામાન્ય રીતે નાટક-સિનેમા વગેરે જોવા જવાય છે. આવાં કુમાર્ગે દોરનારાં સ્થાનોમાં જતાં રોકવા માટે સંતાનને બાપાજી “ના” કહે, તો દીકરો બે દી રએ પણ ખરો, પણ પછી જિંદગીભરનું રોવું મટી જાય ને ? પણ ત્યાં બાપાજીને ‘દયા’ આવે તો ધર્મદષ્ટિએ કહી દેવાય કે એ બાપ “દયાળુ' નહિ, પણ “નિર્દય' છે. ધર્મદ્રષ્ટિએ કહેવાય, બાકી તમારી દૃષ્ટિ તમે જાણો. હું તો ઇચ્છું છું કે તમને બહુ દયાળુ કહેવાનો અવસર આવે, પણ તમે ધર્મહીન બનીને મોટી દયા ખાઈ સંતતિને ઉન્માર્ગે દોરો, ત્યાં દયાળુ શી રીતે કહું ? અને સંતતિના આત્મહિતનો નાશ કરવો, એ તો દેખીતી જ નિર્દયતા છે. તમે નથી જાણતા કે ત્યાં જાય તો દુર્ગુણ આવે ? દુર્ગુણના છાંટા ઊડે ? બાળકને મન તો થાય, કોઈ વાર બાળક તો સાપને પણ રમકડું માની પકડવા જાય, બળતા અંગારામાં પણ હાથ નાખવા જાય, પણ મા બાપ તો રોકે ને ? મોંમાં માટી કે કોલસો નાખે, તો મા આંગળાં નાખી કાઢે છે ને ? ઓકાવીને પણ કાઢે : રડાવીને, અરે મારીને પણ કાઢે ! શરીરમાં ઝેર પેઠું હોય તો ડૉક્ટર પાસે શું કહો ? ખૂબ વોમિટ કરાવો, ભલે નસો ખેંચાતી, પણ ઝેરનો અંશ પણ ન રહે તેમ કરો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org