________________
૧૦૪
--- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
-
જન્મથી, બાલ્યકાળથી જો બાળકને સુસંસ્કારી બનાવશો, તો બહાર નીકળશે એટલે કે સાધુ બનશે તો તો દિવાકરરૂપ બનશે અને ઘરમાં રહેશે તોય દીવા જેવા કુલપ્રકાશક બનશે. દિવાકર બનનાર જગતને પ્રકાશશે અને દીવો બનનાર કળને પ્રકાશશે. પણ નાટકિયા, ચેટકિયા, સિનેમાના કીડા અને મોજમજામાં જ પડી રહેનારા બનાવ્યા, તો એ કેવા બનવાના ? જગતને ભાંડે અને ઘરને વગોવે તેવા ! દેવ-ગુરુ-ધર્મની ઠેકડી કરે અને માબાપની આબરૂ બોળે એવા ! કારણ કે એ સિવાય એને બીજી બુદ્ધિ પણ કઈ જાગે ? અપવાદ હોય. અયોગ્ય સંસર્ગમાંથી કોઈ પુણ્યયોગે બચી જાય અને સારો પણ પાકે તેની “ના” નહિ, પણ તેથી કાંઈ તે સંસર્ગ સારો તો ગણાય જ નહિ આ જ કારણે આજનો પ્રાયઃ કોઈ પણ દેશનેતા હાલની કેળવણીને વખાણવા તૈયાર નથી. પણ એવાઓને તો જગતના ચોગાનમાં શું બોલાય છે તે પણ ક્યાં જવું છે ? જેની પાછળ ચાલ્યા તેની સામે પણ થતાં તેઓને વાર ક્યાં છે ? દેશનેતાઓ પણ પોકાર કરીને કહે છે કે હાલની કેળવણી તથા હાલની ઘણી કાર્યવાહી ભયંકર છે : છતાં જે કોઈ સારા થયા તે પોતાના આત્માની યોગ્યતાએ થયા. દુનિયાની દૃષ્ટિએ તથા આર્યભૂમિની દૃષ્ટિએ જે ભયંકર હોય તે ધર્મદૃષ્ટિએ ભયંકર હોય તેમાં નવાઈ પણ શી હોય? દેશનેતાઓએ તો અનુભવથી, થપ્પડ ખાઈને કહ્યું : અને જ્ઞાનીઓએ તો પહેલેથી જ કહ્યું છે. ‘મિથ્યાદષ્ટિપણું - દુર્લભબોધીપણું - હાડકાંન માળાપણું – વગેરે શબ્દોના તાત્ત્વિક અર્થો
જે કેળવણી કેવળ જડવાદ શીખવે, તેનાથી આત્માનું કલ્યાણ થાય પણ શી રીતે ? આત્મવાદી-તત્ત્વજ્ઞાની બધા દર્શનકારો જડવાદથી ભાગે છે. ઘણા આત્મવાદ અધૂરા છે, માટે જ્યાં પૂરો આત્મવાદ છે ત્યાં તે વસ્તુને બરાબર જાણો, બચાવો, ને જીવનમાં ઉતારો : પછી બધે નજર ફેરવો તો પણ ગબડો નહિ. નિસરણીથી પડી જાય છે, પણ નિસરણી પાડનારી નથી! એને મજબૂત બનાવો. પગથિયાં ભલે પહોળાં કરો : ભલે બે બાજુ કઠેરા નાંખો : ભલે સાંકળ-દોરડાં વગેરે બાંધો પણ નિસરણીનો ભુક્કો કદી ન કરતા. સાધક માટે સાધન પોલું ન બનાવાય સુસાધન દ્વારા સુસાધ્યની સુસિદ્ધિ કરવા માટે સાધકે મજબૂત બનવું જોઈએ. સુસાધનને પોલાં બનાવનાર તો દુનિયાનું સત્યાનાશ વાળનાર છે. પચાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org