SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ પક – ૭ : સંસારનાં અને મોક્ષનાં કારણોનો વિવેક : - 57 – ૧૦૫ પગથિયાં ચડવાની તાકાત ન હોય તે મેળવજો. તે મેળવવા પ્રયાસ સેવજો, પણ નિસરણીમાંથી પાંચ પગથિયાં ઓછાં ન કરતા. સંસારમાં પડેલાએ પણ મોક્ષમાર્ગમાં જરા પણ બાધ આવે તેવી પ્રવૃત્તિ ન કરવી જોઈએ. વિચાર કરો કે એક વાર મરવું તો છે જ ને ? નિરાંત તો નથી ને ? ક્યારે જવાનું એ પણ નક્કી નથી ! ક્યાં જવું એ તો જાણતા જ નથી ! પણ તમારી બુદ્ધિ એટલું તો કબૂલે છે ને કે ક્યાં જવું તેનો આધાર સારી-નરસી કાર્યવાહી પર છે? દેવ-ગુરુ-ધર્મની નિંદા કરો તો ભયંકર દુર્ભાગ્ય સાથે દુર્લભબોધીપણું પણ પામો. દેવ-ગુરુ-ધર્મ જેવાં તારક સાધનોની નિંદા કરવી, અને એણે “દુર્લભબોધી' કે “કમભાગી' જેવા “ચાંદ'થી ગભરાઈ જવું એ કેમ ચાલે ? એ “ચાંદ' તો અનંતજ્ઞાનીએ આપ્યા છે. એ તો એની વાસ્તવિકતા સમજાવનાર વિશેષણો છે : કાંઈ ગાળ નથી ! એવા બધા શબ્દોના તાત્વિક અર્થ સમજો. મિથ્યાત્વ એટલે મિથ્યાષ્ટિપણું, તથા દુર્લભબોધીપણું અને હાડકાંના માળાપણું,-એ કાંઈ ગાળો નથી ? પણ એ માત્ર વસ્તુસ્વરૂપની ઓળખાણ છે. દુખે કરીને સમજ્યની પ્રાપ્તિ થાય એવી અયોગ્યતા આત્મામાં સંપાદન કરવી, એનું નામ દુર્લભબોધીપણું અને સુખે કરી સખ્યત્વની પ્રાપ્તિ થાય એવી યોગ્યતા આત્મામાં કેળવવી, તેનું નામ સુલભબોધીપણું ! ધર્મરૂપ ચૈતન્યહીન બનવું તે હાડકાંના માળાપણુંઃ જેમ રોગથી ખવાઈ ગયેલા દરદી પ્રત્યે જોનારને દયા આવે અને દયાથી કહે - “આ બિચારામાં લોહીનું નામોનિશાન નથી, નર્યા હાડકાં દેખાય છે, જાણે હાડકાંનો માળો !' - તેમ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞારૂપ ચેતન્યાહીનને જોઈ સાચા જ્ઞાનીઓ પણ એમની દયા ચિતવતાં એમને હાડકાંનો માળો કહે છે; માટે એ ગાળ નથી. એવા શબ્દોથી ગભરાઓ મા, પણ સાંભળીસાંભળીને સાવધ થાઓ. એ શબ્દો ગાળ આપનારા નથી, પણ ચાનક આપનારા છે. જેનામાં આ સ્થિતિ હોય તે દૂર કરે અને ન હોય તે એવી સ્થિતિ રખે ન આવી પહોંચે એની કાળજી રાખે,-એ માટે ચેતાવનારા આ શબ્દો છે. માસ્તર વિદ્યાર્થીને “મૂખ' કહે એ ગાળ છે? નહિ, પણ એ વિદ્યાર્થીને વિષયમાં ડાહ્યો બનાવવાના હેતુએ કહે છે ! જો એ શબ્દથી વિદ્યાર્થી ખોટું માને, તો જિંદગી સુધી મૂર્ખા રહે કે બીજું કાંઈ થાય ? “નાપાસ થાય તો મારે પણ બદનામ થવું પડે-એમ માસ્તરને લાગણી છે, માટે “મૂર્ણા' કહે છે. માસ્તરનું તાડન તે તાડન નથી, તર્જન તે તર્જન નથી અને ઉપાલંભ તે ઉપાલંભ નથી. દોષો જોવા છતાં ન કહે, ન સૂચવે, એ દોષો કાઢવાના પ્રયત્નો ન કરે, તો તે સાચાં માબાપ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy