________________
૧૦૬
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
3
નથી અને તે સાચા શિક્ષક પણ નથી !
જે ધર્મગુરુ અધર્મના માર્ગે જતા જોઈને જે શબ્દથી ચેતવવા જોઈએ, તે શબ્દથી ન ચેતવે તો તે ધર્મગુરુ પણ નથી. કૂવામાં પડવા માટે ગાંડો આદમી આવેશમાં ચડીને આવે, દોડ્યો આવે તો કિનારે ઊભેલો ડાહ્યો માણસ છું કરે ? બૂમ મારે કે “પડતો ના, કૂવો ઊંડો છે : પડવા માટે આવેશ ચડ્યો તો છે, પણ પડ્યા પછી પસ્તાવો થશે : હાડકું એક પણ આખું નહિ રહે.' ડાહ્યો આ રીતે રોકે પણ પેલો માને ? પેલો ડાહ્યો બીજાને બૂમ મારે, પેલો ગાંડો ડાહ્યાને પણ ઢસડી જાય, ડાહ્યો ભલે ઢસડાય પણ ખરો, પણ જુએ કે હવે આ પડે છે એટલે પોતે એને બચાવી ન શકે તો પોતાનો હાથ ખેંચી લે, પણ એને ધક્કો તો ન મારે ને ? “તારે પડવું છે માટે પડ ભલે'-એમ તો ન કહેને ? એમ કહીને ધક્કો મારે ? અને એમ કહે અગર કહી ધક્કો મારે અને એ વાતના સાક્ષી મળી જાય, તો કર્મદષ્ટિની વાત તો પછી, પણ રાજ્યસત્તા પણ ગુનેગાર ગણે, સજા કરે ! ધક્કો મારે તો તો બેવડો ગુનેગાર : ખૂનનો જ આરોપ આવે, છતાં કદાચ સાક્ષી વગેરેના અભાવે કિંવા બીજી કોઈ રીતે ત્યાં બચી જવાય, પરંતુ કર્મસત્તાથી તો છુટાય જ નહિ ? એ તો કર્યું એનું ફળ ભોગવ્યું જ છૂટો ! યુરોપિયનો ઝળકે ને જેનો નહિ?
મરજી મુજબનો ધર્મ થાય તો તો ઘર પણ નહિ ચાલે. દરેક વાતમાં મરજીને વજન ન આપતાં. ઘરમાં પણ નાયકની મરજીને આધીન થવું પડે છે, થવું જોઈએ : મર્યાદા માનવી જોઈએ, મર્યાદા વિના છૂટકો જ નહિ ! કોઈ પણ ધર્મક્રિયાને આત્મસાધક બતાવો તો અમે પણ તમારી સાથે જ ઊભા રહીએ. બાકી પેલું તો સિદ્ધ જ છે કે એ ક્રિયા જડતાની તો ઘાતક જ છે! જડના ઉપર તો એ ઘા કરે છે, એટલે જડતાની તો એ ઘાતક જ છે, અર્થાત્ ધર્મક્રિયા જડની લાલસા કાપે છે, એ તો કબૂલ જ છે. એમ કહીએ છીએ કે દુનિયાની કોઈ પણ ચીજમાં વાસ્તવિક સુખ હોય તો બતાવો : જડમાં સુખ હોય તો બતાવો આજ તો બધે રોદણાં છે કે બાર બાર મહિના પેઢી ઉપર પ્રવૃત્તિ કર્યા જ કરીએ છીએ, તોય કંઈ મળતું નથી; આ હાલત શાથી? બુદ્ધિ ઘટી કે ઉદ્યમ ઘટ્યો ? ઉદ્યમમાં તો ભાગાભાગ કરો છો : આજની બુદ્ધિ માટે પૂછવાનું જ શું? દસકા-વીસકા પૂર્વે શેઠિયાઓ ધર્મક્રિયા પણ કરતા અને શાંતિથી વેપાર પણ કરતા, અને પરિણામે આવક મોટી થતી. આજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org