________________
47 – ૭ : સંસારનાં અને મોક્ષનાં કારણોનો વિવેક : - 57 – ૧૦૭ તે પૂજા કે સામાયિકનો પણ ટાઇમ નથી : ભાગાભાગ પૂરી છે છતાં પરિણામે મીંડું ! આ હાલત શાથી? -આ બધું નક્કી કરો ! આ બધું છોડીને જવું એ તો નક્કી છે ને ? પરલોક છે એમ તો માનો છો ને ? પરલોકને પણ ન માને એવા કોઈ જૈન હોય ? અને કદાચ એવો કુળથી જૈન હોય તોય એને જૈન કહેવાય ખરો ? જૈનકુળમાં જન્મેલો પરલોક ન માને ? પુણ્ય, પાપ, જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ,-આ બધું ન માને ? અરે ઊલટું માનનારની ઠેકડી કરે ? એ બધું હોય તો શરમાવનારું નથી ? કોઈ કદાચ મોઢે “હાજી હા” કહે, પણ કાર્યવાહી જડની જ માત્ર કરે, તે પણ શરમાવનારી જ વાત છે ને ? જડની કાર્યવાહી કોઈ ચાલુ રાખે તો કદાચ નભે, પરંતુ એનો ધર્મરૂપે પ્રચાર કરે તે ઓછી શરમની વાત છે ?
બત્રીસ કરોડની વસ્તીમાં એક લાખ યુરોપિયન ઝળકે છે એ શાથી ? પોતાપણું નથી મૂકતા માટે ને ? એમણે ધોતિયું પહેર્યું ખરું? અને તમે તો ઝટ પાટલૂન પહેર્યું અને સાહેબની નકલમાં અક્કલ ખોઈ ! એ કદી હાથે નથી જમતા અને તમે ઝટ કાંટે જમવાનો શોખ કરો છો ને ? અરે, હાથમાંથી પણ અમી આવે છે એ જાણો છો ? બાળકને માતા વાત્સલ્યપૂર્વક પીરસે : માતાના હાથનું સ્પર્શેલું અનાજ બાળક ખાય તો એને લોહી વધે-અમુક વયમાં અમુકના હાથનું ભોજન આનંદ આપે છે : તેવી ભાવનારૂપે એના અણુઓ પરિણામ પામે છે. આગળ રાજાઓને પણ રાણીઓ જાતે પીરસતી, નોકર નહિ ! નોકર બહુ તો બહુમાન કરે, પણ રાણીના હૈયાની હિતભાવના એ લાગે ક્યાંથી ? મુનિને પણ અત્રાદિનું દાન માલિક કરે, રસોઇયા નહિ. “અમારા તારક છે' - એમ માની માલિક તો દાન દે ! આજ તો શેઠ-શેઠાણીનો પત્તો ન હોય રસોઇયાને ભળાવી દે. વિધિ ગઈ, નીતિ-રીતિ પલટાણી એટલે સંસ્કાર બદલાયા.
યુરોપિયનો જેમ પોતાનું સ્થાન નથી ભૂલતા માટે બત્રીસ કરોડમાં પણ એક લાખ ઝળકે છે, તેમ અબજની વસ્તીમાં મૂઠીભર જેનો પણ ઝળકે! પરંતુ પોતાના ધર્મસંસ્કારો સાચવે તો ઝળકે કે આઘા મૂકે તો ઝળકે ? ભોગના વિરાગથી ઝળકે કે ભોગના સંસર્ગની પુષ્ટિથી ? આમ પણ થાય, તેમ પણ થાય, જમાનો કહે તેમ થાય' - એમ કહે અને વર્તે તો ઝળકે કે ધર્મજ્ઞા મુજબ કહે અને વર્તે તો ઝળકે?
જ્યાં પોતે પાપથી ડરે ત્યાં સામો પણ જુએ કે આમાં કાંક છે, પણ પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org