SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ 07 – ૫ : ઉત્તમ આલંબનની આવશ્યકતા - 55 - - ૬૭ તો મૂર્તિ ઉપર “વીતરાગતા'ની રહેલી છાપ કાંઈ ગુણ નહિ આપે ? પણ વિચારવું છે કોને ? આજે કેટલેક સ્થળેથી તો એના પર પ્રેમ જાગવાને બદલે, સભાવ જાગવાને બદલે, સેવા ન થાય તો પશ્ચાત્તાપ થવાને બદલે “સેવાની જરૂર શી ?' એમ બોલાય છે ! માત્ર આજના જ શિક્ષણને પામેલા અથવા ધર્મશિક્ષણનેય આની જ જોડે ઘસડી ગયેલા તથા આજની જ હવામાં મશગૂલો તો ધર્મ જેવી વસ્તુને જ હંબગ કહે છે ! ધાર્મિક દૃષ્ટિએ કર્મની નિર્જરાને માટે મુનિ તરફથી ઉપવાસ કરવાનું કહેવાતું, ત્યારે એ કહેતા કે “નાહકનું ભૂખ્યા શું રહેવું ?' અને પાશ્ચાત્ય ડૉક્ટરે કહ્યું કે “પંદર દિવસમાં એક દિવસ ભૂખ્યા રહેવાથી તંદુરસ્તી સારી રહે છે.” તો એ માન્યું. કારણ કે શરીર સુધારવા તરફ જેટલું લક્ષ્ય છે તેટલું આત્માને સુધારવા તરફ નથી. આમ છતાં જો એવાને “પુદ્ગલાનંદીકહેવામાં આવે તોય કહેશે કે અમને ગાળો દે છે ! આ તો અનુભવેલી વાત છે. એક એવો માણસ મળ્યો હતો. ઉપવાસની વાત નીકળી એટલે કહે કે, “એ તો નાહકની લાંઘણ છે.' પણ કદરતને કરવું તે એ જ અરસામાં અમેરિકાના ડૉક્ટરનું ઉપવાસ કરવાથી થતા શારીરિક ફાયદાવાળું લખાણ આવ્યું, એટલે આવીને કહેવા લાગ્યો કે, “સાહેબ ! આપની વાત મળી.' એ ભાઈને પૂછ્યું, “શાથી ?” એ કહે કે, અમેરિકાનો વિદ્વાન ડૉક્ટર કહે છે !' ડોક્ટરે કહ્યું માટે એને મન શ્રી જિનેશ્વરદેવનું કથન સારું થયું. એટલે જે ડૉક્ટરની દવા જીવાડે જ એવું નક્કી નથી, જેની દવા કોઈવાર અનર્થનું કારણ પણ બની જાય. એના ઉપર જેટલો વિશ્વાસ તેટલો વિશ્વાસ પરમ જ્ઞાની શ્રી જિનેશ્વરદેવના ફરમાન ઉપર નહિ ! પંદર દિવસમાં એક ઉપવાસ પ્રાયશ્ચિતરૂપે કરવાનું ધાર્મિક કથન ન મનાય અને શરીરની તંદુરસ્તી ખાતર જો ડૉક્ટર કહે તો તરત મનાય છે ! બોઝે કહ્યું કે વનસ્પતિમાં જીવ છે, એટલે એવા લોકો પણ કહેવા લાગ્યા કે જૈનશાસનમાં વનસ્પતિમાં જીવ હોવાની વાત છે તે વાત સાચી. કેટલાય અખતરા કરી કરીને કેટલીયે વનસ્પતિને પીસી પીસીને, આપણી જેમ થતો ફેરફાર જોઈને, બોઝે સિદ્ધ કરી બતાવ્યું કે વનસ્પતિમાં જીવ છે, નહિતર એવા કેટલાય અખતરા કરનારાને ભાન પણ નહોતું. છતાં એવા અખતરા કરનાર ઉપર વિશ્વાસ રાખે અને જ્ઞાનીએ તો જ્ઞાનથી જોઈને કહ્યું છે, પણ તે ન માને. આ આજના એવાઓની બુદ્ધિ. આ દશામાં શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા ઉપર પ્રેમ થાય શી રીતે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy