________________
૬૬
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
-
908
તોય બારે મહિને રોટલા પરાણે મળે અને ઝવેરીને ત્યાં કો'ક દી ઘરાક આવે તોય આવક એવી થાય કે ગાડીધોડા દોડાવે.
શાસ્ત્રકાર કહે છે કે શુભ ક્રિયાનો ખૂબ અભ્યાસ કરો. છેવટ કાંઈ નહિ તો જિંદગીમાં એકવાર પણ પરિણામ આવે, તો પણ ઘણું કામ થઈ જાય. માટે ફરી ફરી કહું છું કે ભાવ નથી આવતો એમ ધારીને શુભ અગર શુદ્ધ દ્રવ્યોનું આલંબન છોડો નહિ. એનો ત્યાગ થવાથી તો પરિણામે હવામાં અધમ વાસનાનો વાસ થાય છે અને એ આલંબનને જીરવી રાખવાની તાકાત ચાલી જાય છે, માટે સારાં આલંબન ન છોડો ! શિક્ષણ કેવું જોઈએ?
તમારાં બાળકોને, સ્વજનોને કે સ્નેહીઓને પણ શિક્ષણ આનું ઘો. જગતનું સાચું કલ્યાણ પણ આવા જ શિક્ષણમાં છે. આ સિવાય બાકીના શિક્ષણથી સત્યાનાશ વળે તો તેમાં નવાઈ પામવા જેવું પણ શું છે ? આત્માની ઉન્નતિને નહિ શીખવતા અને પદ્ગલિકતામાં રમણતા લાવતા બહારના શિક્ષણનું પરિણામ તમે આંખ સામે જોઈ રહ્યા છો ! આજે જૈનકુળમાં પાકેલા, જૈન સંસ્થાઓમાં ભણેલા અને જૈનોને પૈસે આગળ (?) વધેલામાંના કેટલાયને મંદિર, આગમ, ઉપાશ્રય, સાધુ વગેરે ધર્મપ્રાપક સ્થાનો રુચતાં નથી, એનું કારણ ? વિચારો કે અનાદિના કર્મબંધનને તોડવાના સાધન તરીકે શ્રી જિનેશ્વરદેવે ફરમાવેલ આ બધાં સાધનો; એ જેને ન રુચે તેને રુચે શું ? સભા : બીજું રુચે એમાં આત્માનું સારું પણ શું થાય?
સારું ન થાય તો ધૂળ નાખી, પણ સ્વપર ઉભયના આત્માનું ખરાબ થાય ! શ્રી વીતરાગ પરમાત્માની પ્રશમરસ ઝરાવતી મૂર્તિઓ જોઈને કહે કે “આ ઢગલો શું કામ કર્યો છે ?” પરમ તારક શ્રી વીતરાગદેવની મૂર્તિઓને જોઈ “ઢગલો' કહેતાંયે જે સુધારક કહેવડાવનારને શરમ નથી આવતી, એને દુનિયાભરમાં પેઢી, બંગલા, બગીચા, બાબો, બીબી, એ તો બધું ઘણુંય છે, એ ઢગલો છે એમ નથી લાગતું અને જેનાં દર્શન પામીને નેત્રો ઠરે, હૈયે શુભ ભાવના પ્રગટે અને પૂર્વસંચિત કર્મગણનો નાશ થાય તે ઢગલો ? એ કહે છે કે આનામાં શું આપવાની તાકાત છે ?” એક તાંબાનું ફદિયું જો કંઈક આપી શકે છે, તો આ કાંઈ નહિ આપે ? તાંબાનું ફદિયું સિક્કાવાળું જોઈએ, બનાવટી નહિ. એક રૂપિયાના તરત ચોસઠ પૈસા મળે એવી છાપમાં ગુણ છે કે નહિ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org