________________
CT3 ,
– ૫ : ઉત્તમ આલંબનની આવશ્યકતા - 55 -
-
ઉપ
જ રાચામાચી રહેલા આત્માને ઉપસર્ગ આવે જ ક્યાંથી ? દુર્ભાગ્યને યોગે બાહ્યનાં પણ ફાંફાં પડે એની ના નહિ !
સભા: ભાવધૂનન સમજ્યા વિના દ્રવ્યધૂનન ફાયદો કરે કે નહિ ?
ફાયદો કરે પણ જે ફાયદો થવો જોઈએ તે ન થાય, એટલે વસ્તુતઃ એ ફાયદો ન કહેવાય : પણ એમ બને કે પરિણામે એ ફાયદાને પણ ખેંચીને લાવે ! નિશાળે જતો વિદ્યાર્થી સમજીને જ જાય છે એમ નથી, પણ લાભ થાય છે ને ! વગર સમજે પણ કરેલી સારી સારી ક્રિયા કાંઈક લાભ તો દે જ : કારણ કે વગર ઇચ્છાએ થાય તો પણ હાનિ તો નથી જ અને લાભ સર્વ રીતે સંભવિત છે.
સભા: વીરા સાળવીને ફાયદો ન થયો ને!
ન થયો એમ તો નહિ જ : હા, જે ફાયદો થવો જોઈએ તે નહિ ! બાકી જેટલો સમય એ શુભ ક્રિયામાં રોક્યો, તેટલો સમય બીજી ક્રિયાથી બચ્યો, એ દેખીતો લાભ જ છે ને ? મતલબ કે મુખ્ય લાભ પાસે ગૌણ લાભની ગણના નથી. વળી વીરો સાળવી તો “સાધુ” કે “ગુણવાન' જાણીને પણ મુનિને નહોતો નમ્યો. પરંતુ તેના સ્વામી કૃષ્ણ મહારાજા નમે માટે નમવું જોઈએ, ન નમે તો કદાચ સ્વામીને ખોટું લાગે, - એમ ધારીને એ નમ્યો. શ્રી કૃષ્ણ મહારાજાને નમ્યા વિના ખાવું નહિ, એવો તો એને નિયમ છે. એ શ્રી કૃષ્ણ મહારાજાનો ભક્ત હતો માટે નમ્યો હતો.
શુદ્ધ દ્રવ્યનો એ ગુણ છે કે તે ભાવનાને ખેંચી લાવે છે. આડતિયાની સાથે આવેલા ગાડાવાળાને ખવરાવોને ! શું માનીને ? ન ખવરાવીએ તો આવેલા આડતિયાને ખોટું લાગે એમ માનીને કે બીજા કારણથી ? તોય એના ખોરાકમાં ફેરફાર હોય. વાસ્તવિક રીતે વિચારવામાં આવશે તો જણાશે કે આ ક્રિયા, ક્રિયાના રૂપમાં જ ન ગણાય. છતાં એ પણ સમજવા જેવી બાબત છે કે વીરા સાળવીએ એટલી પણ ક્રિયા ભલે શ્રી કૃષ્ણ મહારાજાના દાક્ષિણ્યના યોગે કરી, તથાપિ જો તેને ભવાંતરમાં જાતિસ્મરણ થાય અને એ આ જુએ તો કદાચ લાભ પણ આપે કે નહિ ? ખોટી ક્રિયા કરતાં સારી ક્રિયા, જો દાક્ષિણ્યતાથી, શરમથી કે દબાણથી પણ આ આત્માથી થતી હોય તો તે ગેરવાજબી નથી. દ્રવ્યક્રિયા ચાલુ હોય તો ભાવ આવવાને અવકાશ છે. ભાવના કાંઈ રોજ ને રોજ આવે છે? એ તો ક્વચિત્ ક્વચિત્ આવે. તેલ મરચાવાળાને ત્યાં ઘડી ઘડી ગ્રાહક આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org