________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૪
આજ્ઞા આપી હતી ? શ્રી સ્થૂલભદ્રજી પોતાની પૂર્વપરિચિત વેશ્યાને એક માત્ર સુધારવાના જ ઇરાદે ગયા હતા. જ્ઞાની ગીતાર્થ ગુરુએ પણ જોયું કે એવી પૂર્વપરિચયવાળી વેશ્યા પણ આનાથી સન્માર્ગે આવશે અને ભૂતકાળનાં સ્મરણોમાંનું કે વર્તમાનકાલીન એક પણ પ્રલોભન ત્યાં આ શ્રી સ્થૂલભદ્રને લલચાવી નહિ શકે માટે આજ્ઞા આપી. શ્રી સ્થૂલભદ્રજીએ આવી ઉચ્ચ દશા પ્રાપ્ત કરવા માટે પહેલાં તો, યાદ રાખો કે તેમણે જે રીતનું જોઈએ તે રીતનું દ્રવ્યધૂનન કર્યું હતું !
૭૪
દ્રવ્યધૂનન વિના ભાવધૂનન બને નહિ : ભાવધૂનન કરવા માટે આત્માએ બહારની વિષયસામગ્રીથી પોતાને દૂર કરવો જોઈએ. એ વાતનો લેશ પણ ઇન્કાર નથી જ કે ભાવધૂનન વિના દ્રવ્યધૂનન યથારૂપે ફળે નહિ, પણ સાથે એ જરૂર માનવું જ જોઈએ કે દ્રવ્યધૂનન વિના ભાવધૂનનની સિદ્ધિ પણ નથી ! એ વાત ખરી કે આવક વિનાનો વેપાર નકામો, પણ એ વાત પણ સાથે જ છે ને કે વેપાર વિના આવક થાય ક્યાંથી ? પેઢી ખોલવી પડે, કદાચ શરૂમાં બેચાર મહિના ખોટ પણ આવે, પછી વેપાર જામે અને તેમ તેમ ઘરાકી વધે તો પછી આવક થાયને ?
804
-
શાસ્ત્રકાર મહારાજા કહે છે કે કદી ધર્મક્રિયાથી વંચિત ન થાઓ ! ‘ભાવ આવશે તે દિવસે ધર્મક્રિયા કરીશું' – એમ ધાર્યું અને ભાવની જ રાહ જોઈને બેસી રહ્યા તો હારી જશો. ‘ભાવ આવશે ક્યાંથી ? આલંબન હોય તો ભાવ આવવાનો માર્ગ છે. આલંબન વિના આવે ક્યાંથી ? - એ વિચારો. શુભ ભાવ ન આવતો હોય તો પણ શુભ ભાવ આવે એ હેતુથી શુદ્ધ ક્રિયા ચાલુ રાખો. વસ્તુ શુદ્ધ હોય અને એની ક્રિયા ચાલુ હોય તો શુભ ભાવ આજે નહિ હોય તો અમુક સમય પછી પણ આવશે.
શુદ્ધ દ્રવ્ય ભાવનાને ખેંચી લાવે :
દ્રવ્યધૂનન ૫૨ તો ભાવધૂનનનો મોટો આધાર રહેલો છે. દ્રવ્યધૂનન ન કરે તે તો ઊલટો સંસારમાં ૨ખડે. સૂત્રકાર મહર્ષિને કહેવું પડ્યું કે દેવ, મનુષ્ય અને તિર્યંચના ઉપસર્ગ સહી આત્માને કર્મથી વિખૂટો પાડે એ ભાવધૂનન ! આ ઉપસર્ગો સહેવાનો વખત ક્યારે આવે ? કોને આવે ? ઘરબારીને આવે ? જે એમાં જ રાચે છે એને વળી ઉપસર્ગ શા ? સડકે ઊભેલાને કાદવની ભીતિ હોય, પણ કાદવમાં પડેલાને હોય ? બાહ્ય સામગ્રી તજી યોગ્ય સ્થાને આત્માને લઈ જવા માટે મથનારને અનુકૂળ તથા પ્રતિકૂળ ઉપસર્ગ આવે, પરંતુ બાહ્ય સામગ્રીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org