________________
૯૨ -
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
-
802
ને હીરો તિજોરીમાં પડે ! એની નજર હીરાને જ જોયા કરે મનમાં કોઈ મદદકર્તા આવે ને હીરો મળે એ જ ઝંખના રહે. આ પરિણામ ! આવી રીતે સંસારનાં બંધનોને તોડી નાખવાનાં અને સંયમને ગ્રહણ કરવાનાં પરિણામ આવવાં જોઈએ. આવાં પરિણામ આવ્યા પછી કદાચ પ્રવૃત્તિ ન પણ થાય, તો પણ પરિણામથી લાભ છે. સંસારમાં દુનિયાના પદાર્થો લેવાનાં પરિણામ કેવાં થાય છે ?
સૂત્રકાર મહર્ષિએ ફરમાવ્યું અને આપણે વિચાર્યું કે સમ્યગ્દષ્ટિ સંસારમાં બે જ પદાર્થોને સારભૂત માને : મોક્ષ અને સંયમ ! આમ છતાં એને સંયમ અને મોક્ષ બતાવવામાં આવે અને બીજી બાજુ એની પાસે ચક્રવર્તીની ઋદ્ધિસિદ્ધિ ને સત્તાસાહ્યબી ધરી દેવામાં આવે, તો મોટે ભાગે એનું હૃદય કઈ તરફ ઢળે ? મોટે ભાગે કહું છું હોં! સંયમ અને મોક્ષની ભાવના થાય અને પરિણામ ચક્રવર્તીનાં ! સમ્યગ્દષ્ટિ છે માટે સંયમ અને મોક્ષને સારભૂત માને છે અને ભાવના એની થાય, પરંતુ પરિણામ ત્યાં ! એવી ભાવના એ પ્રભાવ પણ સમ્યગ્દર્શનનો ! સમ્યગ્દર્શન બેઠું છે એટલે પરિણામ ત્યાં દોડે, તોય ભાવનાને ટકાવે ! સમ્યક્ત્વ ન હોય ત્યાં તો એવી ભાવના પણ નથી હોતી ત્યાં તો ભાવના પણ પૌદ્ગલિક સાધનો માટેની અને પરિણામ તેનાં જ ! માટે ભાવના સાથે પરિણામને સરખાવતાં શીખો. ભાવના તથા પરિણામ માટે ઊહાપોહ કરો.
કર્મધૂનન કરવું છે એ નક્કી જ છે. એ ન થાય ત્યાં સુધી દુઃખના લેશ વિનાનું, સંપૂર્ણ ને સ્થાયી સુખ મળતું નથી એમ નક્કી જ છે. અને માટે સૂત્રકાર મહર્ષિ ફરમાવે છે કે કર્મધૂનન માટેનાં દ્રવ્યધૂનનો કર્યે જ છૂટકો. મૂળ વસ્તુ કાપવા માટે તેનાં સાધન પહેલાં કાપવાં પડશે. ભાવના તથા પરિણામ જાણનાર, નિશ્ચય તરીકે વસ્તુ જાણનાર સૂત્રકાર મહર્ષિને પણ કહેવું પડ્યું છે કે વ્યવહારનય વિના નિશ્ચયની સિદ્ધિ નથી. નિશ્ચયનયની દશા વ્યવહારનયની દશા સેવ્યા વિના આવતી નથી. નિશ્ચય તો ચોથા, પાંચમા તથા છઠ્ઠા, - એ ત્રણે ગુણ ઠાણાવાળાને મિથ્યાષ્ટિ માને છે અને કહે છે. ચોથાવાળો મુગલમાં પડ્યા રહેવું તેને ખોટું જાણે છે તો પડ્યો રહે છે કેમ ? - માટે એ મિથ્યાદૃષ્ટિ ! પાંચમાવાળો પૌગલિક બધું જ ખોટું જાણે છે તો થોડું શું કામ મૂકે છે ? માટે એ પણ મિથ્યાદૃષ્ટિ અને છઠ્ઠાવાળો ભલે છોડે બધું, પણ એ છોડીને આવ્યા પછી પ્રમાદ શા માટે કરે છે ? – માટે એ પણ મિથ્યાદૃષ્ટિ ! એવી રીતે એ ત્રણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org