________________
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
-
800
છતાં વિરતિનાં પરિણામ ન થાય. કારણ ? એમને વિરતિનો ઉદય ન હોય એ સાચું : પણ કદી એનું કારણ વિચાર્યું ? સ્થિતિ એ હોય છે કે એ સ્વજનધૂનન નથી કરી શકતા : વિષયસામગ્રી તો પાસેની પાસે જ હોય. ખુદ શ્રી તીર્થંકરદેવની વારંવાર દેશના સાંભળે, કેટલાય મહાપુરુષના ત્યાગને નજરે જુએ, અપૂર્વ ત્યાગીઓને ભયંકર ઉપસર્ગોની સામે અડગ ઊભેલા જૂએ, એ અભુત ત્યાગના પ્રતાપે કેટલાયને કેવલજ્ઞાન તથા મુક્તિ પ્રાપ્ત કરતાં નજરે જુએ, અરે કેટલાયના કેવલજ્ઞાન મહોત્સવ તથા દીક્ષા મહોત્સવ જાતે કરે, પણ એ છોડી ન શકે એમને વિષયસામગ્રીથી છૂટા પાડે તેવો વિરાગભાવ ન જાગે ? કારણ કે વિષયની સામગ્રી સાથે આત્મા વીંટાયેલો છે. એનાથી એ છૂટા નથી પડી શકતા. જ્યારે આપણે તો છૂટા પડી શકીએ છીએ, પણ વિષયસામગ્રીથી ઇરાદાપૂર્વક વિખૂટા પડતા નથી. આપણે તો સામગ્રી વિના રહી શકીએ તેમ છીએ, સંજોગવશ રહીએ પણ છીએ. સામગ્રીસંપન્ન હોવા છતાં ધર્મક્રિયા વખતે આપણે એ સંયોગોને અલગ કરી શકીએ છીએ, જ્યારે પેલા તો ધર્મ કરે ત્યારે પણ એ સામગ્રી તો સાથે ખરી જ. ધાર્મિક મહોત્સવાદિમાં એ મૂળરૂપે આવતા નથી. મૂળરૂપ તો ત્યાં ને ત્યાં જ ! બીજું રૂપ વિકર્વીને આવે છે. અને અહીં તો વાત એ છે કે કર્મજનક સાધનો ન ખસે ત્યાં સુધી કર્મધૂનન ન થાય.
દેવતા એ સાધનોનું ધૂનન કરી શકતા નથી, માટે સંયમ ગ્રહણ કરી શકતા નથી : અરે, નવકારશીનું પચ્ચખાણ પણ કરી શકતા નથી ! હા, યાત્રા કે મહોત્સવકરણ જેવાં ધર્મકૃત્યો કરે, બાકી મનુષ્યના જેવો ધર્મ તેઓ કરી શકતા નથી. મનુષ્ય જો ધારે તો એના ધર્મકરણને માટે મર્યાદા નથી. શ્રી તીર્થંકરદેવના ઉચ્ચતમ આદર્શ સુધી પણ મનુષ્ય ધારે તો પહોંચી શકે છે. દેવતાઓ જે કાંઈ કરે તેમાં ચલચિત્તતા સ્વાભાવિક રીતે રહેલી છે. આજુબાજુ વીંટાયેલાં સાધનો અસર કર્યા વિના રહે ? જ્યારે મનુષ્ય એકાગ્ર રહી શકે છે : પોતાના આત્માને તત્ત્વરમણતામાં તન્મય કરી શકે છે !
કેટલાક મનુષ્ય આજે કહે છે કે “આંતરત્યાગ આવે તો બાહ્યત્યાગની જરૂર શી?' આ એક દાંભિક બચાવ છે. બાહ્યના ત્યાગની નબળાઈઓમાંથી જ આવો બચાવ ઊભો થાય છે. જરા વિચારો તો ખરા કે અંતરનો ત્યાગી આવું પૂછે ? હૃદયનો વિરાગી હોય તે ગમે તે બોલે ? ગમે તેમ વર્તે ? ગમે તે ખાય-પીએ ? તે દરેક વાતમાં સગવડ શોધ્યા કરે ? પોતાના માનસન્માનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org