________________
૫ : ઉત્તમ આલંબનની આવશ્યકતા :
બાહ્યત્યાગ વિના આંતરત્યાગ સંભવિત જ નથી !
નિર્યુક્તિકાર મહર્ષિ શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજા ‘ધૂત’ શબ્દનું વર્ણન કરતાં ‘ધૂનન’ કેમ કરવું તે સમજાવી રહ્યા છે. આપણે જોઈ ગયા કે દેવતા, મનુષ્ય તથા તિર્યંચો સંબંધી સધળા સાનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોને સહી, આત્માથી ઘાતી તથા અઘાતી કર્મોને દૂર કરવાં, તેનું નામ ભાવધૂનન.
આત્મા સાથે અનાદિ કાળથી લાગેલાં કર્મોને વિખૂટાં પાડવાની ક્રિયા સહેલી નથી. જે જે સાધનોથી કર્મોને પુષ્ટિ મળે, તેમ જ કમબંધને જે જે સાધનો સહાય કરે તે બધાં જ સાધનોને આઘાં કરવા સતત પ્રયાસ કરવો જોઈએ અને તો જ સંપૂર્ણ રીતે ભાવધૂનન થઈ શકે. ભાવધૂનન એટલે કર્મધૂનન અને કર્મધૂનન કરવા માટે પહેલું દ્રવ્યધૂનન કરવું જોઈએ, કેમ કે દ્રવ્યથી જ આત્માની કર્મજનક પરિણતિ પોષાય છે. જેમ જેમ દ્રવ્યધૂનન કર્મધૂનનના ઇરાદાપૂર્વક થતું જાય છે, તેમ તેમ આત્માની ગમે તેવી અશુદ્ધ પરિણતિ પણ શુદ્ધ થતી જાય છે. જ્યાં સુધી મુક્તિએ પહોંચાય નહિ ત્યાં સુધી પ્રવૃત્તિ તો રહેવાની જ, પણ અશુભને રોકાય તો તે શુભમાં પરિણમતી જાય : અને શુભમાં જ્યાં આત્મા જોડાયો, ત્યાં પરિણામે આત્માને પણ શુદ્ધ થતાં વાર નહિ લાગે. કર્મને આવવાના હેતુથી એટલે કે કર્મજનક સાધનોથી ખાત્માને વિખૂટો પાડો, એટલે એ આત્મા કર્મથી વિખૂટો પડે ! એટલા માટે પહેલું સ્વજનધૂનન કહ્યું.
લોક એટલે સંસાર, તેનું મૂળ કષાય, એનું મૂળ મોહ, એનું મૂળ વિષયાભિલાષા મને એનું મૂળ વિષયસામગ્રી ! દેવોની પાસે ઓછી સામગ્રી છે ? મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને ભવપ્રત્યયિક અવધિજ્ઞાન હોય : ક્યાંથી આવ્યો ને ક્યાં જશે એનું માન હોય : કેવા પુણ્યના યોગે પોતાને દેવત્વ મળ્યું અને કેવાં પાપોને યોગે ખીજા આત્માઓ દુર્ગતિમાં રખડે છે, એ પણ દેવતા જાણી શકે : તેમ જ શ્રી નીર્થંકરદેવોની દેશના એ સાંભળે : છતાં એને વિરતિનાં પરિણામ નહિ ! કારણ ? હજારો આત્માને સમૃદ્ધિ અને સત્તા છોડી ત્યાગમાં ઝૂલતા નજરે જુએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org