SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ : ઉત્તમ આલંબનની આવશ્યકતા : 55 • બાહ્ય ત્યાગ વિના આંતરત્યાગ સંભવિત જ છેશિક્ષણ કેવું જોઈએ ? નથી ! • સળગતી આગ જેવા સંસારમાં શાંતિ કયાંથી • ભાવ વિના પણ શુદ્ધ આલંબન પકડી રાખો મળે ? • શુદ્ધ દ્રવ્ય ભાવનાને ખેંચી લાવે : • દર્શનની દઢતા એ જ મૂળમાં સુધારો ! વિષય : દ્રવ્યક્રિયાની જરૂર. ભાવનું લક્ષ્ય અને દ્રવ્યમાં પ્રવૃતિ. દેશનાનો હેતુ. દેવ પાસે શક્તિ અચિત્ય, સામગ્રી અમાપ અને જ્ઞાન પણ ત્રણ ત્રણ છતાં એ વિષય સામગ્રી છોડી ન શકે અને માણસ છોડી શકે. માટે જ કર્મધૂનન દેવ માટે તેવું શક્ય નથી એવું માનવ માટે સહજ શક્ય છે. હૃદયનો વિરાગ સ્વયં બાહ્ય ત્યાગ કરાવે. આ વાત કરી ભાવના, પરિણામ અને પ્રવૃત્તિ અંગે ટૂંકમાં સમજણ આપી છે. ત્યારબાદ વ્યવહારનય અને નિશ્ચયનયની દૃષ્ટિએ સમ્યગ્દષ્ટિ આદિ ગુણસ્થાનક અંગે મજાની સ્પષ્ટતા કરી છે. આગળ વધી શુભ ભાવ પ્રાપ્ત કરવાના હેતુથી શુદ્ધ ક્રિયા ચાલુ રાખવાની વાત કરી સંતાનોને એનું જ શિક્ષણ આપવાની સલાહ આપી છે. છેવટે દેશનાનો હેતુ દર્શાવી સાચું સુખ ક્યાં તે સારી રીતે બતાવી વાલ્મટ મંત્રીના ઉદ્ગારો સાથે વ્યાખ્યાન સમાપ્ત કર્યું છે. મુવાક્યાતૃત • જ્યાં સુધી મુક્તિએ પહોંચાય નહિ ત્યાં સુધી પ્રવૃત્તિ તો રહેવાની જ, પણ અશુભને રોકાય તો તે શુભમાં પરિણમતી જાય. • મનુષ્ય જો ધારે તો એના ધર્મકરણને માટે મર્યાદા નથી. • નિશ્ચયનયના ગુણો પણ વ્યવહારનયના ગુણો સેવે તો પ્રગટ થાય. • શુદ્ધ દ્રવ્યનો એ ગુણ છે કે તે ભાવનાને ખેંચી લાવે છે. • શુભ ક્રિયાનો ખૂબ અભ્યાસ કરો. છેવટ કાંઈ નહિ તો જિંદગીમાં એકવાર પણ પરિણામ આવે, તો પણ ઘણું કામ થઈ જાય. ક્ષણ સુખ અને ઘડી પછી બૂમરાણ, ક્ષણમાં હસાવે અને તરત રોવડાવે, ક્ષણમાં કુદાવે અને ક્ષણમાં હઠો પાડે, આવા પદાર્થોના સંસર્ગમાં મૂખ સિવાય બીજું કોણ સુખ કહે ? • હું હોઉં કે બીજા હોય, પણ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને અનુસરતું હોય તો જ સાંભળવાનું, નહિ તો ભરસભામાં “અમે આવું સંસારપોષક સાંભળવા આવ્યા નથી' એમ કહીને ઊઠી જ જવાનું. દર્શન જેટલું શિથિલ થશે, તેટલું જૈનશાસન પણ ઊથલપાથલ થશે. • શાસ્ત્રાનુસાર વર્તવાનો પ્રયાસ અને પ્રભુઆજ્ઞાનું જ કથન એ ચેતન છે, એ વિનાનું સાધુપણું કે શ્રાવકપણું મડદા જેવું છે. • દુનિયામાં અનુભવીની ગુલામી તેમ અહીં જિનાજ્ઞાની ગુલામી સુખ આપે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy