________________
– ૪ : વર્તમાનની દુર્દશાનું કારણ : - 54
-
૫૭
હલકા પાડે એવો છે? તમે બધા જો આચાર બરાબર પાળો તો ઇતર દુનિયા પણ કહે કે “તમારા આચાર તો ઊંચા.” રાત્રિભોજન માટે ઇતર તમારી મશ્કરી શાથી કરે છે ? તમે ખાઓ છો તેથી. તમને રાતે ખાતા જુએ છે એથી. મારી પાસે તમે પોલ ચલાવો, પણ પેલા નજરે જુએ ત્યાં પોલ શી રીતે ચાલે ? અમુક જગ્યાએ જતાં, ત્યાં ખાતાં પણ અને પીતાં પણ રોજ તમને ભાળે, ત્યાં તમારી પોલ કેમ ચાલે ? મોઢે તમે કહો કે “અમે દોષમાં નથી પડેલા, અમે અભક્ષ્ય નથી ખાતા.' - પણ જો કોઈ ફોટો પાડનાર નીકળશે તો ભારે પડશે, માટે સાવધ થાઓ. આચારશુદ્ધિ વિના વિચારશુદ્ધિ શી રીતે આવે ? વિચારશુદ્ધિ વિના વસ્તુ પરિણામ ન પામે, એટલે ધૂનન ન થાય.
દીક્ષા જે કડવી લાગે છે તે મિઠ્ઠી ને પથ્ય છે એમ બતાવવી પડશેને ! ધૂનન થાય તો બતાવાય. ધૂનન શાનું ? એક જ. વિષયની સામગ્રીનું. શ્રી જિનેશ્વરદેવના સાધુ પાસે ત્રણ જાતની દીક્ષા છે. ૧. સાધુપણાની દીક્ષા, ૨. શ્રાવકપણાની દીક્ષા અને ૩. સમ્યગ્દષ્ટિપણાની દીક્ષા. સમ્યગ્દષ્ટિ રાતે ખાય તો પણ પાપ માને. કોઈ કહે કે “કેમ ?” એ કહે કે “પામર છું, એનાથી દુર્ગતિમાં જવાય એ જાણું છું, રોજ ટોકજે, ધોલ મારવાની પણ છૂટ આપું છું.” સમ્યગ્દષ્ટિ તો મિત્રને કહે કે “બજારમાં અનીતિ કરતાં જુએ તો કાનપટ્ટી પકડજે !' આ પણ દીક્ષા છે. આ દીક્ષા લેવી છે ? આમાં તો ઓધો નથી ને ? કંઈ ન લો ત્યારે દુર્ગતિની ટિકિટ ન ફાટે તો ક્યાંની ફાટે ? કહે છે કે “સાધુઓએ સ્વર્ગ-નરકના પરવાના રાખ્યા છે. પણ હું કહું છું કે “સાધુઓ નવરા નથી પણ અયોગ્ય વર્તનાર બીજે જવાના ક્યાં ” આવી સાવચેતી આપનારા મિત્રો રાખ્યા છે ? ઘેર મીટિંગ ભરી વિચારોની આપ-લે કરવાનું આઠ દિવસ તો કરી જુઓ ! તમારે ત્યાં સુધારો થશે એટલે પાડોશીને ત્યાં પણ થશે. પછી ધૂનન પણ સહેલું થશે. આત્માને વળગેલાં કર્મનું ધૂનન કરવા માટે - વિષયની તમામ સામગ્રીના ધૂનન માટે પ્રયત્ન કરવો જોઈએ, - એમ સૂત્રકાર, નિર્યુક્તિકાર તથા ટીકાકાર ત્રણે મહારાજાઓ ફરમાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org