________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
બજારના ખરચ કેટલા છે ? ચાર કપ ચાહ, સિગારેટ, પાન, એટલે આઠ-દશ આના થાય, રૂપિયો પણ થાય. અનીતિ વિના આ બધું લાવે ક્યાંથી ? પગાર ટૂંકો હોય અને ઘેર સ્ત્રી અને ચાર છોકરાં હોય, તે કરે શું ? તમે વ્યસનો બંધ કરો અને બાળકોને એવાં બનાવો કે ઘરની બહાર ખાય કેમ ? આજે રોગ પણ એથી વધ્યા. ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તે, ગમે તેટલું ખાવું, પછી રોગ ન વધે ? સારી બુદ્ધિ જાય અને ખોટી બુદ્ધિ આવે ! સંતોષ ગયો, અસંતોષ આવ્યો. શાસ્ત્રની વાત પછી, પણ મનુષ્યજીવનમાં આ વ્યસનો સાધક કે બાધક ? શ્રાવકોથી ઊભા ઊભા પાણી પણ ન પીવાય. લોટેથી પવાલામાં પાણી લઈ પીવાય. લોટામાં પણ જંતુ બરાબર ન દેખાય માટે નીચે બેસી લોટેથી પવાલામાં પાણી લઈ પીએ. પવાલું લૂછી સાફ કરે. એક જ માટલીમાં જે આવે તે એક જ પવાલું બોળે એ સભ્યતા છે ? એ તો રોગ વધારે. એકની લાળ બીજાના ભોગમાં જાય. આજે કેટલા શ્રાવકને ઘેર ડોયા છે ? ડોયા એટલે પીવાના ભાજનમાં પાણી લેવાને માટલીમાંથી પાણી કાઢવાનું જુદું સાધન ! અરે, અહીં દેરાસરમાં પણ નથી. બહારથી પાન ચાવતા ચાવતા આવે અને અહીં કોગળા કરે અને એ ડોલમાં એક જ પવાલું બોળી બધા પીએ. આ ભાજન પણ કોરું કોણ કરે ? અસંખ્યાતા સંમૂર્ચ્છિમ જીવો સમયે સમયે એ લાળથી ઉત્પન્ન થાય ને મરે, તેનું પાપ કોને માથે ? બરાબર લાભ લેવો હોય તો એક નોકર વધારે રાખો. નોકા૨શી કરનાર એંઠા પાણીની શુદ્ધિ ન રાખે, એ શું કહેવાય ? પાણીની પચીસ કોઠી પાસે પચીસ નોકર અગર પચીસ આદમી વધારે રાખવામાં આવે તો શું શુદ્ધિ ન જળવાય ? પાણી લેવા આવે તેને એ જ આદમી ડોયા દ્વારા વિવેકથી આપે. આટલું ન થાય તો પ્રસંગે શ્રાવકપણું પણ વહ્યું જાય. શ્રાવકનું પ્રથમ વ્રત શું ? સંકલ્પપૂર્વક નિરપરાધી ત્રસને મારું નહિ. હવે આમાં ઉત્પન્ન ? થાય છે એ તો ખબર છે, તો સંકલ્પ થયો ને ? ઘરમાં એ ઉપયોગ નહિ અને બહાર પણ નહિ ! શ્રાવકને ત્યાં આ દશા ? એઠું થએલું પાણી બધા ભાજનમાં ભેળાય. પછી અસંખ્યાત સંમૂકિમ ઉત્પન્ન થાય અને મરે : રોજ એ બને. જરા કાળજી રાખો તો કેટલો લાભ થાય ?
:
૫૭
અશુભ કાર્યવાહી ચાલુ રહે એનું પરિણામ શું આવે ? પૂર્વનાં પુણ્ય હોય તો આ ભવમાં ફાવી જાઓ, પણ પછી ? આચારો વેચ્યા માટે તો સન્મતિ ગઈ અને એ આવતીય નથી. જ્ઞાનીએ બતાવેલો એક પણ આચાર તમને દુનિયામાં
Jain Education International
796
For Private & Personal Use Only
www.jainelibrary.org