________________
ms - ૪ : વર્તમાનની દુર્દશાનું કારણ : - 54 - ૫૫ સમજાય તો ભોટ નહિ ? ઠોઠ કહું તો ખરાબ લાગે, બાકી ઘણાં લક્ષણ ઠોઠનાં છે. ઠોઠનાં લક્ષણ એક દિવસ ગણાવ્યાં હતાં ને ! ટાઈમસર આવવું નહિ, કાળજીપૂર્વક સાંભળવું નહિ, યાદ રાખવું નહિ, લેસન કરવું નહિ – આ બધાં લક્ષણ ઠોઠનાં. વ્યાખ્યાનનો ટાઈમ જે નિયત થયો તે કોના માટે ? સભા : ગુરુ માટે!
ગુરુને ગરજ હોય તો બેસે, તમે બધા શેઠ એમ ને ? કેવા ઠંડાગાર આઇસ્કીમ ! આ ચાલે શી રીતે ? આ દશામાં ધૂનન થાય શી રીતે ? વિચારોની આપ-લે કરવા તમને એક કલાક નથી મળતો ? શ્રાવકના દીકરાને હજી તો એ શંકા છે કે રાત્રે ખાવામાં વાંધો શો ? શ્રાવકના સામાન્ય કુલાચારમાં શંકા શી ? રાત્રે ન ખાવું, અભક્ષ્યનું ભક્ષણ ન કરવું, પરસ્ત્રી સાથે વ્યવહાર ન કરવો, - આ તો બધા શ્રાવકના સામાન્ય કુલાચાર ! તેને આજના ઉચ્છંખલો હંબગ કહે છે. અને “બસ, ઇચ્છા મુજબ જ વર્તવું' - એમ ઉપરથી કહે છે. ઠેર ઠેર વ્યાપેલી અવિવેકિતા!
સભા: ઇલેક્ટ્રિક થઈ એટલે રાત્રે ખાવામાં વાંધો શો? - એમ કહે છે.
શાસ્ત્ર કહે છે કે સૂર્યાસ્ત પછી અનેક સંપાતિમ જીવો ઉત્પન્ન થાય છે અને તે જીવો એવા હોય છે, કે જે સૂર્યનાં કિરણો હોય ત્યારે પણ ન દેખાય, અનાજ સાથે ભળી જાય અને ખવાઈ જાય. અનંતજ્ઞાનીની જોયેલી આ વાત છે.
શ્રાવકના સામાન્ય આચારો ઉપર પણ જેને પ્રતીતિ ન થાય, તેને બીજું સમજાવાય શી રીતે ? ધર્મને તથા પુણ્ય-પાપને આઘે રાખો, પણ એ શ્રાવકના સામાન્ય આચારોથી શોભા વધે કે ઘટે ? જોઈને ચાલવું, ઘાસ પર પગ ન મૂકવો, જીવ ન ચંપાઈ જાય તેમ ચાલવું, રાત્રે ન ખાવું, તામસી પ્રકૃતિ પેદા કરે તેવાં કંદાદિ ન ખાવાં, પરસ્ત્રીગમન ન કરવું, નાટક-ચેટક-સિનેમા ન જોવાં, આ બધા સામાન્ય આચારો પાળનારને સભ્ય સમાજ સજ્જન કહેશે કે દુર્જન કહેશે ? સજ્જન જ કહેશે. આ તો વ્યવહારની વાત છે ને ! કોઈ એમ કહે કે હું તો મહિનામાં પાંત્રીસ સિનેમા જોઉં છું - તો સભ્ય સમાજ તો એને પાગલ કહેશે. અને એનો કોઈ જ વિશ્વાસ નહિ રાખે. એનો પગ ઘરમાં પેઠો કે બધા કહેશે કે “સાચવજો.' વ્યસનીને ચોરી કરતાં વાર લાગે ? ખિસ્સાખર્ચા વધી તેમ ચોરી, અનીતિ, પ્રપંચ વગેરે પણ વધે જ. આજે જુઓ, ઘરના ખરચા કરતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org