________________
૫૪
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૪
દેવાળાં નીકળી ગયાં. દુનિયાના પ્રત્યક્ષ અનુભવ ન કબૂલો તો હું શું કરું ? વેપારી કહે કે ‘ભાઈ ! માગવા નહોતો આવ્યો, તું પરાણે મૂકી ગયો હતો, તેમજ વાંધો નથી, મારી પાસે માલ છે, પૈસા પણ છે, અમુક સમય ધીરજ ધર, વ્યાજ સાથે આપીશ.’ - તોય પેલો રોજ ચાના પ્યાલા ગટગટાવનારો ના કહે, એટલું જ નહિ પણ - ‘અબી લાવ' એમ જ કહે, બીજા સો જણને કહેતો ફરે કે - ‘ફલાણો ગયો.’ આવી રીતે છતે પૈસે કેટલાય નાદાર થયા.
સજ્જન તરીકેય જીવવું છે કે નહિ ?
સભા : દેવાળું પણ છે અને દૂધવાળું પણ છે.
એ પણ છે. આથી જ કહું છું કે ભાગ્યવાનો ! તમે જેમાં સુખ કલ્પી રહ્યા છો તેમાં સુખ નથી. સુખની લાલસામાં સડી જઈ મનુષ્યભવ હારી ન જાઓ. સમજદાર બનો, પુણ્ય તથા પાપનો વિવેક કરો, સુખદુઃખનાં કારણોનો વિભાગ કરો, સુખદુઃખ શાથી આવે અને શાથી મળે તેનો વિવેક કરો, આત્માની સાથે આ બધું રોજ બેચાર કલાક વિચારો. ચોવીસ કલાકમાં ઊંઘવા સાતઆઠ કલાક અને ચાવવા બે-ચાર કલાક જોઈએ, તેમ બેચાર કલાક આત્માના વિચાર માટે પણ કાઢો. પરિસ્થિતિ વિચારો. તમારો આત્મા જાગે તો જ આ પ્રવેશે ! ‘ત્યાં જ સુખ' એમ એક વાત માની બેસો, ત્યાં આ વસ્તુ હાથમાં આવે પણ શી રીતે ? રોજ ઘરમાં મીટિંગ ભરી વિચારો કે ‘શાસ્ત્ર સુખ બીજે કહે છે અને આપણે બીજે કહીએ છીએ માટે નિર્ણય કરો, વિચારોની આપલે કરો.' દરિદ્રી શેઠિયો ભલે રોજ ચોપડા ન તપાસે, પણ દિવાળીને એક મહિનો બાકી રહે ત્યારે તો તે પણ તપાસેને ? તમે પણ પત્ની છોકરાં સાથે વિચારો કે ‘શ્રી જિનેશ્વરદેવ, ગુરુમહારાજ તથા આગમ સાચું સુખ બીજે બતાવે છે અને આપણે આમ માનીએ છીએ, માટે સુખ છે ક્યાં ?' આઠ દિવસ તો આમ કરો ! પણ કરો જ નહિને ! અમુક સમય પહેલાં તો શ્રાવકોને ઘેર રાસ વંચાતા અને એની પણ છાયા પડતી. આજે તો એ બધું જ ગયું. દાન, શીલ, તપ, ભાવ બધું ક્યાં ઊડી ગયું ? કયા શબ્દોમાં કહું તો તમને અસર થાય ? વેપારમાં, ખાવાપીવામાં, નાટક-ચેટક-સિનેમામાં બધે તમને ટાઇમ મળે અને ચોવીસ કલાકમાં આત્માના વિચાર માટે કલાક પણ ન મળે ? આવા ભોટ ક્યાં સુધી રહેશો ? ખરું કહું છું. રોજ નિશાળે જાય અને ન આવડે એ ઠોઠ ન કહેવાય ? મહિનાઓથી સાંભળો અને ન
Jain Education International
794
For Private & Personal Use Only
www.jainelibrary.org