________________
૪ : વર્તમાનની દુર્દશાનું કારણ ઃ 54
એ તો મારે કહેવાનું હતું તે તમે કહ્યું ! ઠીક થયું, પણ આજ તો પાપના અખતરા માટે તૈયાર થવાય છે, પણ ધર્મના અખતરા માટે તૈયાર નથી થવાતું ! પાપનો, આરંભસમારંભનો તો ઘણો અનુભવ કર્યો, તો હવે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિપરીત મરતાં સુધી પણ વર્તવું નહિ, એવી અવસ્થાનો અનુભવ કરો. પાપ વગર ન ચાલે, આરંભસમારંભ વગર ન ચાલે, - એવું માનો છો અને એવું તો કરી રહ્યા છો : પણ સાધુ, શ્રાવક, સમ્યગ્દષ્ટિ અને માર્ગાનુસારી પોતપોતાની ભૂમિકા મુજબ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા પ્રમાણે વર્તે, વિરુદ્ધ ન વર્તે, - એવું એક દશકો તો કરો : પછી ઉદય ન થાય તો કહેજો.
સભા : એક વરસની વાત રાખો.
એવી ગાંડી વાત ન કહું. બાકી અસ્થિમજ્જા પર્યંત ઘૂસેલી દુર્ભાવના એક વરસે પણ નીકળે તો ભાગ્ય ! એ વાસના કાઢવા તો નેપાળાના દસ્ત (જુલાબ) જોઈશે. દશકો પણ કેવો કે જિનાજ્ઞા એ જ પ્રમાણ. ત્યાં પણ ધ્યેય તો મુક્તિનું જ ! આ દશા આવશે ત્યારે તો પૈસા વગરના પણ સુખી જ હશે એ ખાતરીથી માનજો. સાચા માર્ગની હૈયાથી કબૂલાત જોઈએ.
793
આજે તો એ દશા છે કે પોતામાં જ્ઞાન છે નહિ અને અનંતજ્ઞાનીની વાત માનવી નથી ! એ દશામાં સુખ આવે ક્યાંથી ? શું પૈસામાં સુખ આપવાનો ગુણ છે ? એ માનતા જ ના. એ માન્યતા પણ આખા સમાજની નથી. પૈસાવાળાના સુખનો અનુભવ કરવો હોય તો છૂપી પોલીસ થઈ એમના ઉદ્ગારો એકાંતે સાંભળો : બહારથી ખબર ન પડે. બહાર તો લાલપીળા બનીને જ નીકળવાના, સો જગાએ પથારો પાથર્યો હોય, માટે બહાર તો બરાબર બતાવવું પડે : એમાં જરા ઢીલું બોલાય કે દેખાય તો આ વીસમી સદીમાં ચોથે દી પાઘડી ઊછળે, સગાંસબંધી પણ એ વખતે સતાવે, કાનમાં જરા ફૂંક આવે કે ‘કાં’ક છે, બસ તરત છાતી ઉપર આવીને બેસે કે ‘પૈસા લાવ !' પૈસા કાંઈ રોકડા પેઢીમાં ભર્યા હોય ? બધી રોકડ બેંકમાં પણ ન હોય. આડા-અવળા જ ગોઠવાયા હોય. પેલો કહે કે ‘ભાઈ, વાંધો નથી, ચોપડા વહીવટ બધું મજેનું છે' - પરંતુ સંબંધી પણ કહે કે “ના ! એ કાંઈ નહિ, મેં સાંભળ્યું છે, બસ ! પૈસા લાવ.’ ગળે પડીને પૈસા મૂકી ગયા હોય, આ ન રાખે તોય - ‘રાખવા પડશે, તમારા ઉપર વિશ્વાસ છે' - એમ કહી કહીને મૂકી ગયા હોય, તેઓ પણ અત્યારે એમ જ કહે કે ‘આપો.’ છતી મિલકતે દેવાળું કઢાવે. છતા માલે, છતી સાહ્યબીએ આવી રીતે કેટલાયનાં
Jain Education International
૫૩
For Private & Personal Use Only
www.jainelibrary.org