________________
પર - - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
- -
72
શ્રી તીર્થંકરદેવ અનંત શક્તિના ધણી છે, છતાં છેલ્લી વખતે ઇંદ્ર ક્ષણવાર આયુષ્ય વધારવાનું કહ્યું ત્યારે ભગવાને ના કહી, કહ્યું કે “આયુષ્ય વધારવા તીર્થકરો પણ સમર્થ નથી.' - આમ કહેવામાં શરમ ન આવી. “અનંત શક્તિના સ્વામી શ્રી તીર્થંકરદેવમાં પણ શક્તિ તો નહિને ?' - આમ ઇંદ્રને શંકા આવશે તો ?, - એમ ભગવાને ન વિચાર્યું. વસ્તુ હોય તેવી કહેવામાં વાંધો શો ? એ અનંત શક્તિનો ઉપયોગ થતો હોય ત્યાં થાય, બધે ન થાય. જગતનો નાશ કરે તેટલું બળ તો છે, પણ કોઈ પૂછે કે “એ બળની ખાતરી શી ?' એવો પ્રશ્ન કરનારને ભગવાન એ બળ બતાવવાની તૈયારી ન કરે.
સમ્યગ્દષ્ટિ ઇંદ્રોમાં બળ કેટલું? વાયકુમારના ઇંદ્ર એક ફૂંકમાં કંઈનું કંઈ કરી વાળે એક ફૂંક મારે તો કંઈનું કંઈ કરી શકે, પણ એવી ફૂક એ મારે જ નહિ. શાથી? ઇંદ્ર છે માટે. ઇંદ્ર છે માટે કેમ ન મારે ? એ સમજે છે કે બળનો પ્રયોગ હાનિમાં થાય. એવો ઉપયોગ કરનારમાં બહાદુરી પણ નથી જ. પુણ્યશાળીનું બળ પાપીમાં આવે જ નહિ. આજ ને આજ કોઈને સાફ કરવા ઇચ્છે, પણ પોતાના અંગની જ એટલી કાળજી હોય કે એ કરી જ ન શકે. જો પાપીમાં એવું બળ આવે તો દુનિયામાં એક પણ આદમી સારો રહી શકે ખરો? શુભાશુભના ઉદયથી પ્રાપ્ત થયેલી સ્થિતિ ભોગવતાં ન આવડે તો આત્મા કંગાળ થાય. એ કંગાલિયત મટાડવા માટે જ ધૂનન કરવાનું.
આજના લોકો કહે છે કે “દુનિયા બેકાર થઈ ગઈ, દુઃખી થઈ ગઈ : તમે સાધુઓ ધરમની વાતો કરો પણ અહીં તો જુઓ.' એમને પૂછીએ કે શાથી?” વધુમાં એ કહે છે કે અમેરિકામાં આટલો પૈસો અને અહીં કેમ નહિ ?” પૂછીએ કે - કારણ ? એ પણ આદમી અને તમે પણ આદમી. એને બે હાથ, બે પગ એક નાક, તમે પણ તેવા. જો કળાહુન્નરના કારણે કહેતા હો તો જર્મનીમાં હુન્નર ઘણા હતા, ત્યાંનાં મકાનોમાં પણ મોટરો ફરતી, તે છતાંય ઘણું સાફ કેમ થઈ ગયું હતું ! એવાં મકાનો પણ જોતજોતામાં પાયમાલ કેમ થઈ ગયાં હતાં? પાપી દિશામાં દશકામાં એક દહાડો એવો આવે કે બધી જ કમાણી ધૂળમાં મળી જાય, માટે વિચારીને કહો કે દુનિયાની કંગાળ અવસ્થાનું કારણ શું? જ્યાં જુઓ ત્યાં પોતાનાં જ રોદણાં શાથી ? કંગાલિયત શાથી ? આટલી ધમાલ, આટલી અનીતિ અને પ્રપંચ છતાંય, એનાં એ રોદણાં શાથી ?
સભા: પાપાચાર વધ્યો એથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org