________________
mn
-
- ૪ : વર્તમાનની દુર્દશાનું કારણ - 54 -
--
૫૧
અને કર્મની પરંપરાને વધારનારાં સાધનોથી આત્માને અલગ કરવો જોઈએ. શ્રી તીર્થંકરદેવ આદિ પુણ્યપુરુષોએ શુભને પણ ભોગવ્યાં, અશુભને પણ ભોગવ્યાં, બેયને ભોગવી જાણ્યાં, એકેમાં જરા પણ ન મૂંઝાયા અને બેયમાં એક જ સ્થિતિ રાખી, ત્યારે ઘણુંખરું આપણી હાલત તો બેયમાં કફોડી, એ હદની વાત તો દૂર રહી, પણ પાંચમા આરામાં, હૂંડાવસર્પિણી કાળમાં, વીસમી સદીમાં સધાય તેટલું તો સાધવુંને ? કર્મબંધથી આત્મા ખસે તેવી પ્રવૃત્તિ ન કરવી, એમ તો વીસમી સદી નથી કહેતીને ? સભા એમ જ કહે તો !
પંચાત ઓછી. આત્માને જ ન માને ત્યાં પંચાત શી? આપણે જે વાતાવરણ ફેલાવવું છે એનાથી વિપરીત વાતાવરણ કેટલાય ગણું ચાલી રહ્યું છે. અહીંનું વાતાવરણ તો દોઢ-બે કલાક અને તેમાંય પણ તમે કંઈ ઓછા જ બધું યાદ રાખો? યાદ રહે એટલું સાંભળો પણ નહિ, ઘેર હાજરી ભરી પરસ્પર લેવડદેવડ કરો નહિ, ને મિત્ર સાથે કે બજારમાં એ વાત યાદ પણ કરો નહિ ! જ્યારે સામે તો ઘેર, બજારમાં, બધે એ હવા ચાલુ. સુસંસ્કાર બુઠ્ઠા થવા માંડ્યા છે માટે જ સત્ય હાથમાં નથી આવતું. શુભ, અશુભ, પુણ્ય, પાપ, પુણ્યપાપનાં સાધનો વગેરેને જાણવાની ઇચ્છા સરખી થતી નથી, ત્યાં શું થાય ? માનપાનમાં તેમજ અપમાનમાં બેય વખતે હાલત કફોડી છે. માનમાં ફૂલી જવાય, અપમાનમાં તાકાત હોય તો મારામારી કરાય અને તાકાત ન હોય તો બળી મરાય ! કોઈ સારું કહે કે ખોટું કહે, - બેયમાં ખરાબ દશા ! પૈસા મળે તોયે હાલત કફોડી અને ન મળે તો પણ હાલત કફોડી ! દાન દેવાય તોય હાલત કફોડી અને ન દેવાય તોય કફોડી દેવાય તો કહી કહીને જીભ સુકાઈ જાય અને ન દેવું હોય તો કંઈ ઊઠાં ભણાવાય. ઊંટના અઢારે વાંકાં, એક પણ અંગ સીધું નહિ. કંગાલિયતનું મૂળ પાપાચાર!
આથી જ કહું છું કે તમે ઊંધાને સીધું ન માની લેતા. વાંકા કાર્યને સીધું કહેવાથી કહેનારને મૃષાનો દોષ લાગે અને સાંભળનારનું ભંડુ થાય. હિત ન થાય તો તો ધૂળ નાખી, પણ ઊલટું અહિત થાય. જે સ્થિતિ પોતાની છે તે કબૂલ ન કરાય અને જોઈ પણ ન શકાય, તો ઉપકારીઓ કહે છે કે કલ્યાણ કોઈ કાળે થઈ શકતું નથી. દેવગુરુ તથા આગમ તેનું કલ્યાણ કરે, કે જે પોતાની જાતને હોય તેવી માને !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org