________________
૫૦
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪–
– 70
એને ક્યાંથી ખબર હોય કે એ માને છે તેવી દુનિયા આંધળી નથી. બાકી સાધુ તો કહી શકે કે “ભાઈ ! મેં એટલા માટે ખામી જણાવી કે, રસ્તે ચાલનાર પણ તારો હાથ પકડે. લોક જાણતા ન હોય ત્યાં સુધી હાથ ન પકડે, હવે તો તારો બચાવ થયો. તું હતો તો કાણો પણ જીવરામ ભટ્ટ જેવી તારી હાલત હતી : માટે તાર કોઈ બચાવ કરતું નહોતું અને તું ટિચાતો હતો અને હવે તો રસ્તે જનારને પણ તારી કાળજી રહેવાની ! જીવરામ ભટ્ટ રતાંધળો હતો. રતાંધળો એટલે રાત્રે દેખે નહિ, પણ પોતે નથી દેખતો' - એમ કહેવું એને ભારે પડતું અને એથી “નથી દેખતો' - એમ કહેવાથી મળતા લાભ એ ન ઉઠાવી શક્યો તથા દેખું છું.' - એમ કહેવામાં પડતી બધી તકલીફો વેઠી. આખરે વાત તો પ્રગટ થઈ, પણ પોતે કબૂલ ન કરી. આવી વાત ઘરની સ્ત્રી કંઈ જાણ્યા વગર રહે ? દેખું છું' - એમ કહે, પણ ચાલતાં ખબર તો પડેને ! હાથ આમતેમ ફાંફાં મારે ત્યારે કોઈ પૂછે તો કહે કે “સહેજ એ તો!” “પગ આમ કેમ પડે છે ?' - આ પ્રશ્નના ઉત્તરમાં કહે કે “ઇરાદાપૂર્વક'. આખરે ઘરની સ્ત્રીએ બધાને કહ્યું કે
છોડોને પંચાત, એ નહિ માને. આ રીતે મિથ્યાભિમાની આત્માઓને પોતાની જે સ્થિતિ હોય તે કોઈ બતાવે તે નથી ગમતું ! એ પણ ભયંકર કાઠિયો છે. ધર્મશ્રવણમાં એ પણ મોટા અંતરાય કરે છે.
ઇર્ષ્યા કે શત્રુતાથી ગાળ દેવી અને સુધરે તો તેનું કલ્યાણ થાય એવી હિતબુદ્ધિથી જ ખામી સૂચવવી, એ બેને સરખાં કહેવાય ? દેવાળું કાઢવાની અણી વખતે કોઈ સ્નેહી આવીને કહે કે આબરૂને કલંકિત ન કર, જાત વેચ પણ પાઘડી ન ફેરવ, લેણદારોને કહે કે “આપીશ જરા ધીરજ ધરો' પણ નહિ આપું” એમ ન કહે ! શિખામણ દેવા આવનાર આવા સ્નેહીને “એ ગાળો દેવા આવ્યો છે કે ખરાબ કરવા આવ્યો છે' - એમ કહેવાય ? દેવાળું કાઢવાનું જેણે નક્કી જ કર્યું હોય તે એમ જ કહેને ? પોતાનું રક્ષણ કે નાશ શામાં છે તે નથી દેખાતું એનું જ આ પરિણામ છે.
મુદ્દો એ છે કે આત્મા સાથે લાગેલાં શુભ તથા અશુભ બેય કર્મોનું ધૂનન કરવાનું છે. બેય કઢાય ત્યારે જ મુક્તિ મળે. જો શુભમાં રાઆ તો અશુભ આવીને ઊભું રહેશે. બહારની વસ્તુથી આત્માને જેટલો નિર્લેપ બનાવાય તેટલી ધૂનનમાં સરળતા. બેઠાં બેઠાં, ખાતાંપીતાં, રંગરાગ કરતાં કરતાં, કર્મમળથી રહિત થવાય, - એ સ્વપ્ન પણ ન માનતા. કર્મને પોષનારાં, મજબૂત કરનારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org