________________
૪ : વર્તમાનની દુર્દશાનું કારણ ઃ - 54
છોડવાની આવે, માટે સાંભળવા જ ન જવું, આ ભાવના તે પણ કાઠિયો. એ ધર્મશ્રવણ ક૨વા જવા જ ન દે. દુનિયામાં જ્યાં જાઓ ત્યાં સામાન્ય રીતે બેસવા ગાદી-તકિયો-ખુરશી મળે, પણ નીચે બેસાડીને ચૂંટી ખણનાર તો અહીં છે. અહીં તો એક જ વાતને ? ‘આવીને નીચે બેસો, શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞા અનુસાર જે કાંઈ કહીએ તે સાંભળો, સહન કરો અને બને તેટલા પ્રમાણમાં વિષયની સામગ્રીને મૂકો !' માટે જ આ કેટલાકને કઠિન લાગે છે ને ? ‘ટી’પાર્ટીમાં જવું કઠિન લાગે છે ? નહિ, કારણ કે ત્યાં તો ખુરશી, ટેબલ, માનપાન, ગળામાં ફૂલના હાર અને હાથમાં કલગી મળે ! કમી છે કંઈ ? ત્યાં જવામાં એમને હ૨કત પણ શી ? અહીં તો પોઝીશનને આઘી મૂકવી પડે, કારણ કે અહીં તમને શેઠ માને કોણ ? વધુમાં અહીં તો મમતાને મૂકવાની જ વાત આવવાની. ઘણા એમ કહે છે કે ‘શું જાય ત્યાં, બોલાવે નહિ, ચલાવે નહિ, માનપાન નહિ અને એક ત્યાગની જ વાત કર્યા કરે.’ ખરેખર, આ રીતનું માન એ ભયંકર કાઠિયો છે. એ માન આત્માને આગળ વધવા જ ન દે. અહીં કદી આવે તો પણ માન સાથે જ આવે.
789
શાસ્ત્ર કહે છે કે મોહે પોતાના દૂતોને ધર્મનગરમાં પણ ઘુસાડ્યા છે : માનને તથા બીજા કાઠિયાઓને મોહરાજાનું ફરમાન છે કે તારે આત્માની સાથે રહેવું, અવસરે તેને આધીન પણ થવું અને અવસરે ચાવી પણ ફે૨વવી : એથી અહીં આવે તોય માન વગેરે તો સાથે હોય જ. સાધુ જરા ઉગ્ર જેવા થઈને કંઈક હિતકર કહે, તો પણ પેલો માન ચાવી ફેરવે. ‘જોયું ! સાધુથી આવું બોલાય ?' અરે ગાંડા ! દુનિયામાં ગ્રાહકના, પત્નીના તથા છોકરાના કેવા કેવા શબ્દો સાંભળવા પડે છે તે વિચાર્યું ? એના જેવું ઉપાશ્રયમાં સાંભળવું પડે છે ? સાધુ તમને બહુ બહુ તો લોભી કહે, આસક્ત કહે, દુર્ગુણ છોડી સદ્ગુણી બનવા કહે, કહી કહીને કહે શું ? ગ્રાહકો તો કંઈ એવા કે આવે કે ‘લુચ્ચા’ વગેરે વગેરે પણ કહી દે !
૪૯
સભા : સાધુથી ન કહેવાય એમ કહે છે.
સાધુથી ગાળ ન દેવાય પણ ખામી તો કહેવાયને ? ‘કાણિયા ! અહીં આવ’ – એમ ન કહેવાય, પણ સુધારવા માટે એક આંખમાં રહેલી ખામી તો બતાવાયને ? પાપનો ઉદય છે કે આ આંખે જોઈ શકતો નથી, એમ તો કહેવાય ને ? મારી આંખની ખામી કોઈ જાણતું નહોતું તે સાધુએ જણાવી કેમ ?’- આ વાંધો ! પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org