________________
7
– ૪ વર્તમાનની દુર્દશાનું કારણ - 54 –
–
૪૭
પુણ્ય પુણ્યાનુબંધી પુણ્ય તે કામ કરે કે આત્માને કર્મક્ષયની વધુ સામગ્રીના સ્થાનમાં બેસાડે. કર્મના બંધ એવા નથી કે જે કાતરથી કાપી આઘા મુકાય. કર્મધૂનનની ભાવનાવાળાએ આ બધું જ સમજવું પડશે. શુભમાં “અમે અને અશુભમાં “અરે શીખ્યા એથી જ દુર્દશા થવા પામી છે !
શ્રી તીર્થંકરદેવોને પણ કર્મના ઉદયકાળમાં બંધનો ભોગવટો કરવો પડે, તો તમારી-અમારી શી હાલત ? ભગવાન શ્રી મહાવીરદેવને અશુભનો કેટલો ઉદય! ત્રણ લોકના તારક, જગતના પ્રાણીમાત્રનું એકાંતે ભલું જ ઇચ્છનાર એવા ભગવાનને પણ રસ્તે ચાલતો હેરાન કરી જાય. ગોવાળિયો પણ મારવા ઊઠ્યો. લુહારશાળામાં અપમંગળની બુદ્ધિએ લુહાર પણ મારવા દોડ્યો. અશુભના ઉદયે સામાની બુદ્ધિ એમને મારવાની જ થાય. આવા તીવ્ર અશુભોદયમાં પણ સાડા બાર વર્ષમાં કેવળજ્ઞાન મેળવ્યું. કારણ ? ભોગવતાં આવડ્યું. આપણને તો ભોગવતાં પણ નથી આવડતું અને બાંધતાં પણ નથી આવડતું, એમ જ કહેવાય ને ?
સભા : બાંધતાં તો આવડે છે.
એવું બાંધતાં નથી આવડતું, કે જે લાભમાં જ ઊતરે. ભગવાને પૂર્વના ત્રીજા ભવમાં એવો નિકાચિત બંધ કર્યો, કે જેના યોગે અનેકનું કલ્યાણ થાય અને એથી એ તારક બન્યા ત્યારે આપણે એવો બંધ બાંધીએ કે સંસર્ગમાં આવનાર માર્યો જાય, કારણ કે શુભના ઉદયમાં ગાંડા-ઘેલા બનીએ છીએ અને અશુભના ઉદયમાં હાય-હાય કરીએ છીએ. તીર્થંકરદેવને દેવતાઓ જમીન ઉપર પગ પણ ન મૂકવા દે, એક પછી એક એમ સુવર્ણકમળો ગોઠવે ! એવા શુભના ઉદયમાં પણ એ જ વીતરાગતા અને ઉપસર્ગ વખતે પણ એ જ પ્રસન્નતા ! શુભમાં “અમે' અને અને અશુભમાં “અરે નહોતું. આપણે તો શુભમાં અમે અને અશુભમાં “અરે' એ શીખ્યા છીએ ને ? પણ અશુભમાં આનંદ અને શભમાં સાવચેતી રાખવાની કળા શીખવી જોઈશે !
અશુભમાં ગભરાયા અને શુભમાં સાવચેત ન રહ્યા તો નાશ ! પુણ્યના ઉદયે બંગલા-બગીચા મળે, પણ તેમાં ફસાવું એ ભયંકર છે. જેટલી ફસામણ તેટલો નાશ ! એને સાચવવા ધર્મ વીસરે તેને સાવચેત કહેવાય ? પોઝીશન, સાહ્યબી વગેરે સાચવવા ધર્મને વીસરી જાય, ધર્મનું ચિંતવન પણ ન થાય, ધર્મનો ખ્યાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org