SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ કર્મોથી આત્માને અલગ કરવા માટે જે જે સાધનોને ખસેડવાં પડે તે પણ ભાવધૂનનમાં ગણાય. કર્મોનાં જે જે કારણો છે તે તે નિયત છે. અયોગ્ય પ્રવૃત્તિ વખતે આત્મા કર્મને જવાના માર્ગ કરતાં આવવાનો માર્ગ વધુ ખુલ્લો રાખે છે, તથા રસની અધિકતાને લઈને કર્મને મજબૂત બનાવે છે કર્મનાં દળિયાં જો રસહીન હોય, તો જ્યારે ખસવા માંડે ત્યારે ખબર પણ ન પડે : પણ તીવ્ર રસવાળાં હોય તો તે ખસતી વખતે આત્માને આકુળ-વ્યાકુળ કરે છે. અશુભ હોય તો આકુળ-વ્યાકુળ કરે ને અશુભ અનુબંધવાળાં શુભનાં તીવ્ર હોય તો ગાંડો-ઘેલો કરે : એટલે કે મૂંઝવે ! કર્મની કાર્યવાહીનો આધાર આત્માની પરિણતિ ઉપર છે. કર્મ મંદ રસવાળાં પણ હોય અને તીવ્ર રસવાળાં પણ હોય. કર્મનો બંધ તો ચાલુ જ છે. કેવળજ્ઞાનીને પણ એક પ્રકૃતિનો બંધ કાયમ છે, પણ તે કેવો ? આવે અને જાય. એ બંધ નહિ જેવો જ કહેવાય - આપણો બંધ રસમય છે માટે ચોંટે છે. ૪૭ અશુભના ઉદયને શાંતિથી ભોગવીએ તો કર્મો જાય ઘણાં અને આવે થોડાં અને જે થોડાં આવે તે પણ આત્માને ભવિષ્યમાં સારી સ્થિતિમાં મૂકે તેવાં ! રોઈ રોઈને કોઈને ભોગવાય તો જાય થોડાં અને આવે ઘણાં તથા તે પણ વ્યાધિને વધારે તેવાં ! 786 ઉત્સૂત્ર-ભાષણના પરિણામે વધારેમાં વધારે અનંત સંસાર થાય એમ શાસ્ત્રે કહ્યું છે, ત્યાં પ્રશ્ન કર્યો છે કે ‘કોઈ કર્મ એવું નથી કે જે અનંત કાળ પકડી રાખે : મોહનીય કર્મની સ્થિતિ સૌથી વધારે છે અને તે પણ ઉત્કૃષ્ટ સિત્તેર કોડાકોડી સાગરોપમની છે : તો અનંત સંસાર થાય શી રીતે ?' સમાધાન કર્યું છે કે ‘એ કર્મ બાંધે તેમાં એવો અનુબંધ પડે, કે જેથી એની પરંપરા અનંત કાળ સુધી ચાલુ રહે. એવી જાતના બંધાયેલા કર્મના ઉદય સમયે આત્મા એવા સંયોગોમાં મુકાય કે જૂના કર્મબંધના વિપાકને ભોગવતાં પણ તેવો જ નવો બંધ કરે, તે યાવત્ અનંત કાળ સુધી એવી જ સામગ્રીમાં મુકાય.’ કર્મની આત્મા સાથે બહુ ગાઢતા ન થવા દેવી તે કામ આપણું છે. ક્ષણે ક્ષણે કર્મનો ભોગવટો ચાલુ છે, માટે કાર્યવાહી એવી કરવી જોઈએ, કે જેથી નિર્જરા ઘણી થાય અને બંધ થોડો થાય અને એ બંધ જે થોડો થાય તે પણ એવો થાય, કે જે નિર્જરાની સામગ્રી ઘણી આપે. પુણ્યનો બંધ પણ બે પ્રકારનો છે. પુણ્યાનુબંધી પુણ્ય અને પાપાનુબંધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy