SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ : વર્તમાનની દુર્દશાનું કારણ ઃ - 54 તેમ મેલ વધારે ચોંટે અને તેમ તેમ એને કાઢવાની કાર્યવાહી પણ વધુ કરવી પડે અને તો જ મળ ખરે. ‘ભાવધૂનન’ સહેલું નથી. યાદ રાખો કે આત્માને અનાદિથી લાગેલ કર્મમળને દૂર કરવો તેનું જ નામ ભાવધૂનન છે ! જેમ મળ વધારે હોય અને જેમ તે વધારે સમયથી લાગેલ હોય, તેમ મહેનત પણ વધારે કરવી પડે. જેમ ચીકાશ વધારે હોય તેમ મેલ વધારે ચોંટે ! આત્માની ચીકાશ તે રાગ અને દ્વેષ છે. એ ચીકાશ ન ખસે ત્યાં સુધી નવાં કર્મ આવતાં અટકે નહિ અને લાગેલાં કર્મ એકદમ સહેલાઈથી ખસે નહિ, માટે એ ચીકાશને ખસેડવી જ જોઈએ . 786 દ્રવ્યધૂનનમાં તો મેલ તથા જેના ઉપર મેલ છે તે બેય ચીજ દેખાય છે અને એના જુદાપણાનો અનુભવ થાય છે, તેમજ કયા પ્રયોગથી મેલ ખસે છે તેય જાણી શકાય છે. પણ અહીં તો આત્મા તથા કર્મ જોઈ શકાતાં નથી ! આત્મા અરૂપી છે માટે દેખાતો નથી : કર્મ રૂપી છતાં એવાં સૂક્ષ્મ છે કે જે આપણી દૃષ્ટિમાં આવી શકે તેમ નથી : આત્માનો સ્વભાવ ચૈતન્યપણાનો છે, ત્યારે પુદ્ગલનો સ્વભાવ જડપણાનો છે. એ સ્વભાવના પ્રમાણમાં ન્યૂનાધિકપણું થાય, પણ સ્વભાવ ન ફરે. સિદ્ધના જીવોના અનંત જ્ઞાનાદિ પરિપૂર્ણ વિકાસને પામ્યાં અને બીજા આત્માનાં દબાયેલાં છે : તેમાં કોઈનાં ઓછાં દબાયાં છે તો કોઈનાં વધારે, પણ ચૈતન્ય ગુણ તો બધા જ આત્માઓમાં છે. આત્માના સ્વરૂપને આવરિત કરનારાં કર્મો એવાં સૂક્ષ્મ છે કે તેને વિશિષ્ટ જ્ઞાનીઓ જ જોઈ શકે છે. ૪૫ આત્મા અરૂપી છે માટે કેવળજ્ઞાની અને કેવળદર્શી સિવાય અન્યથી જોઈ શકાતો નથી : કર્મ રૂપી છે છતાં પણ અતિ સૂક્ષ્મ હોવાથી પ્રત્યક્ષ જ્ઞાન વિના જોઈ શકાતાં નથી. આત્મા તથા કર્મનો સંબંધ ક્ષીર-નીરની જેમ એકમેક થયેલ છે. એને લઈને તો સંસારી આત્મા પુદ્ગલના ચિહ્ન વિના ઓળખાતા પણ નથી : એકેંદ્રિય-બેઇંદ્રિયાદિથી તો ઓળખાણ અપાય છે, કારણ કે આત્માઓ પુદ્ગલમય બન્યા છે. જ્યાં સુધી પુદ્ગલમય રહે ત્યાં સુધી સંપૂર્ણ આત્મત્વ પ્રગટ ન થાય, મડદું થાય ત્યારે પણ લોકો નાડી તથા છાતી વગેરે જોઈ ખાતરી કરે છે કે હવે ચૈતન્ય નથી. ચૈતન્યની પરીક્ષા બાહ્ય ચેષ્ટાથી થાય છે ! બાહ્યના બધા સંયોગોથી વિખૂટા પડાય ત્યારે મુક્તિમાં જવાય. આ બધાં કર્મોને આત્માથી અલગ કરવા માટે કર્મોનાં બધાં કારણોને ખસેડવાં જોઈએ. જેનાથી કર્મો પોષાય, મજબૂત થાય તથા એની પરંપરા ચાલુ રહે, તે કારણો કાપવાં જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy