________________
૪: વર્તમાનની દુર્દશાનું કારણ?
ભોગવતાં પણ શીખવું પડે છે !
નિર્યુક્તિકાર શ્રુતકેવલી ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજા ફરમાવી ગયા કે અનાદિ કાળથી વળગેલ આઠે કર્મોનો નાશ કરવો તે ભાવધૂનન છે અને “સંયમનું પાલન કરીને મોક્ષની પ્રાપ્તિ કરવા માટે આત્માએ આ ભાવધૂનન કરવું જ પડશે. અત્યાર સુધી આપણે ભૂમિકાની શુદ્ધિ કઈ રીતે થઈ શકે, એમ કરવા માટેનાં સાધનો કયાં કયાં અને એ સાધનોનો ઉપયોગ શી શી રીતે થાય, - એ બધું વિચારી ગયા. હવે આપણે સીધી સડક ઉપર આવી પહોંચ્યા છીએ. ગામમાંથી નીકળતો મુસાફર ફળિયું, ગલી, ચૌટું વગેરે વટાવે અને ગામને દરવાજે આવી ઊભો રહે તેમ આપણે પણ આ સંસારરૂપ કારાગારને છોડવા માટે ઘર શી રીતે છોડાય, માર્ગમાં નીકળ્યા બાદ માર્ગમાં નડતાં વિદ્ગો શી રીતે ટળાય, અને ચૌટે ને ચોરે ઊભેલા શત્રુઓને ફાવવા નહિ દેતાં સલામત રીતે ગામને દરવાજે શી રીતે પહોંચાય - એ વગેરે આપણે અત્યાર સુધી જોયું. હવે તો ગામને છોડવાની વાત ચાલી છે. “ભાવધૂનને' - એ મોક્ષપુરીમાં પહોંચવા માટેની સીધી સડક છે, પરંતુ એ સડક પહોંચ્યા પછી ગામના વિચારો, ગામની ચિંતા, ગામનો રાગ અને ગામના સીમાડે ગામની સ્મૃતિઓ તાજી થાય તે ટાળવાની વાત થઈ રહી છે. હવે સીધી જ સંયમની વાત આવીને ઊભી છે. લોકમાં સારભૂત બે વસ્તુ : ૧. સંયમ અને ૨. મુક્તિ : સંયમ એ સાધન અને મુક્તિ એ સાધ્ય. સંયમપાલન વિના સંપૂર્ણ ભાવધૂનન થાય જ નહિ !
અહીં નિર્યુક્તિકાર મહર્ષિ શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજાએ ‘ધૂત” શબ્દની વ્યાખ્યા કરતાં ‘ભાવધૂનનીના સ્વરૂપને સમજાવી દીધું. ધૂત એટલે જ ધૂનન ! દષ્ટાંતથી પણ આપણે જોઈ લીધું કે સામાન્ય રીતે કોરા વસ્ત્રને કચરો લાગે નહિ અને કદાચ લાગે તો પણ એવો લાગે કે જે તરત ખરી જાય : કહોને કે વાસ્તવિક રીતે એ લાગ્યો કહેવાય જ નહિ. જ્યારે ભીના વસ્ત્ર પર કચરો જલદી લાગે, ઘણો લાગે અને એને નીકળતાં-ઊખડતાં વાર પણ લાગે. ચીકાશ પર મેલ ઝટ ચોટે અને ઊખડતાં ઘણી વાર લાગે. જેમ જેમ ચીકાશ વધુ તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org