________________
૪ઃ વર્તમાનની દુર્દશાનું કારણ ?
154
ભોગવતાં પણ શીખવું પડે છે! - કંગાલિયતનું મૂળ પાપાચાર! શભમાં ‘અમે' અને અશુભમાં “અરે” શીખ્યા , સજ્જન તરીકે જીવવું છે કે નહિ ? એથી જ દુર્દશા થવા પામી છે !
• ઠેર ઠેર વ્યાપેલી અવિવેકિતા ! ઊંટના અઢારે વાંકાં !
વિષયઃ અશુભોદય અને શુભોદય વખતે કરવાની વિચારણા, વર્તમાનમાં ફેલાયેલો
પાપાચાર, તેને દૂર કરવા માટે સાધુની ફરજ. ભાવધૂનન વિના મોક્ષ નહિ અને રાગદ્વેષ ટાળ્યા વિના ભાવધૂનન નહિ. અશુભના ઉદયને શાંતિથી ભોગવીએ, દ્વેષ ન કરીએ તો કર્મો છૂટે ઘણાં અને બંધાય થોડાં જ. તેમજ રોઈ રોઈને ભોગવીએ, દ્વેષ કરીએ તો કર્મો થોડાં જાય અને ઘણાં બંધાય. આ મૂળ વાત સાથે આગળ વધી કેવી કાર્યવાહી કરવી કે જેથી નિર્જરા સાધી શકાય એ વાતને સમજાવવા માટે ધર્મશ્રવણમાં નડતા પ્રમાદદિ કાઠિયા આદિનું વર્ણન કર્યું છે. આજની દુર્દશાનું મૂળ પાપાચાર છે, એ વાત અનેક રીતે રોજિંદી જિંદગીમાં બનતાં દૃષ્ટાંતોનો આધાર લઈ સમજાવ્યું છે. આજના સમાજમાં વ્યાપેલી અવિવેકિતાનું નિદર્શન એઠા પાણીની વાત દ્વારા કરાવ્યું છે.
મુવાક્યાતૃત • ભાવધૂનન એ મોક્ષપુરીમાં પહોંચવા માટેની સીધી સડક છે. • સંયમપાલન વિના સંપૂર્ણ ભાવધૂનન થાય જ નહિ ! • ક્ષણે ક્ષણે કર્મનો ભોગવટો ચાલુ છે, માટે કાર્યવાહી એવી કરવી જોઈએ કે જેથી નિર્જરા ઘણી થાય અને બંધ થોડો થાય અને એ બંધ જે થોડો થાય તે પણ એવો થાય, કે જે નિર્જરાની
સામગ્રી ઘણી આવે. • અશુભમાં ગભરાયા અને શુભમાં સાવચેત ન રહ્યા તો નાશ ! • પૈસો હોય ત્યારે એને અસાર માની, દાન દેવાની બુદ્ધિ થાય અને દેવાય તે દાન ! • દેવગુરુ તથા આગમ તેનું કલ્યાણ કરે, કે જે પોતાની જાતને હોય તેવી માને ! • શુભાશુભના ઉદયથી પ્રાપ્ત થયેલી સ્થિતિ ભોગવતાં ન આવડે તો આત્મા કંગાળ થાય. • સાધુ શ્રાવક, સમ્યગ્દષ્ટિ અને માર્ગાનુસારી પોતપોતાની ભૂમિકા મુજબ શ્રી જિનેશ્વરદેવની
આશા પ્રમાણે વર્તે, વિરુદ્ધ ન વર્તે, એવું એક દશકો તો કરો : પછી ઉદય ન થાય તો કહેજો. • પોતામાં જ્ઞાન છે નહિ અને અનંતજ્ઞાનીની વાત માનવી નથી ! એ દશામાં સુખ આવે ક્યાંથી?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org