________________
૪૨
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
-
૨
વીતરાગની મૂર્તિનાં દર્શન કરતાં પણ કદાચ શ્રદ્ધા શુદ્ધ થાય એથી એ ડરે છે. એ એમને થવા દેવું નથી, એના જ આ વાંધા!
દુનિયાને પાપથી ભડકાવનારી ચીજ બે - મંદિર અને ઉપાશ્રય દેવ અને ગુરુ. જ્યાં સુધી એ ચીજો વિદ્યમાન છે, ત્યાં સુધી એમના વિચારોને સ્થાન નથી, માટે એમની એ કાર્યવાહી એવી છે કે પાપથી ભડકાવનારાં સ્થાન જ ન રહે તો ફાવટ થાય. આપણે એવી કાર્યવાહી કરવી જોઈએ કે પાપથી બચાવનાર આ સ્થાનો જીવતાં અને જાગતાં રહે, ખીલતાં રહે, ઝળકતાં રહે અને વધતાં જ રહે. શાસન જયવંત છે. પાંચમા આરાના છેડા સુધી રહેવાનું છે. છતાં એ એમની ઇચ્છા મુજબ કામ કરે, તો આપણે આપણી ફરજમાં વધારે દઢ થઈ કામ કરવાનું!
કર્મના ધૂનન માટે બાહ્ય વસ્તુનું ધૂનન કરવું પડશે. મૂળ વસ્તુ એ. સમ્યગ્દષ્ટિએ સંપત્તિથી ભાગવું તે પહેલું ધૂનન. સૂત્રકાર, નિર્યુક્તિકાર તથા ટીકાકાર ત્રણે મહર્ષિઓ આ સમજાવી રહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org