SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ m - ૩ : શાસનના સૈનિકનું કર્તવ્ય : - 53 - ૪૧ બોલાય, બાકીનું ન બોલાય અને એ બોલાય તો સત્ય છતાંય અસત્ય બોલવાનું પાપ !” કેવળજ્ઞાની દેશના દેવા બેસે તે બેઠેલાના હૈયામાં રહેલી વાત જાણે કે નહિ ? અરે, આખા વિશ્વની વાત જાણે કે નહિ ? જ્ઞાની એ બધું કહે ખરા? જો કહે તો એનું પરિણામ કેવું આવે ? જ્ઞાનીનું હૈયું સાગરના મધ્યભાગ જેવું સ્થિર. ત્યાં પાણી ફરકે નહિ. એમ સજ્જન તથા જ્ઞાનના હૃદયમાં બધું સમાય. સાગરમાં વચ્ચે ગયું તે નીચે !મડદાં બહાર નીકળે : એમાં કચરો પણ ન સમાય. છતાં સાગરનો કદાચ તાગ લેવાય પણ જ્ઞાનીના હૃદયનો તાગ ન લેવાય. જ્ઞાની તો પચાવી જાણે. એનું નીકળેલું પચાવનાર થોડા. સાગરમાંથી નીકળેલાં રત્નો કેટલાની તિજોરીમાં હોય ? કોઈકની ! જ્ઞાનીની વાતો ઘણા ન માને માટે ગભરાતા ના ! છીછરા હૈયામાં એ જાય ? જેવા એ પોતે છે તેવા પૂર્વાચાર્યોને દેખે. કમળાવાળો બધું પીળું દેખે. “જેવા અમે ઉઠાઉગીર તેવા એ કેમ ન હોય?” -એમ એ કહ્યું. સભા સડો કાઢવાનો ડોળ કરે છે. સડેલા સડો કાઢશે ? એમનો સડો તમારા હૈયામાં ઠાંસવા માગે છે એમ કહો ! ડૉક્ટર પણ પોતાનો સડો કઢાવવા બીજા ડૉક્ટર પાસે જાય પણ પોતે ન કાઢે. સીધા ને સાદામાં સડો ભાળે છે શાથી ? જેવો પોતે તેવા બીજા એમ કલ્પી લીધું, માટેને ? એવાઓની યુક્તિમાં ન ફસાય તેવું સમ્યગ્દર્શન જીવતુંજાગતું રહે, એટલા માટે આપણે ઇશારા કરવા પડે છે. એમના ઉપર પણ દ્વેષ નથી. સર્વ જીવો કર્માધીન છે. એમની પણ દયા આવે કે એ પણ મિથ્યાત્વ વમીને સમ્યક્ત પામો ! એ દુર્ગતિમાં જાય તેવી આપણી ઇચ્છા નથી. બીજાઓ એવા ન બને તે માટે પ્રયત્ન હોય : બાકી એ લોકો પણ સુધરે તે જ ઇચ્છા ! એ ટોળું વધે તો ઉત્પાત મચાવે : થોડા બીજે પણ જે કલ્યાણ સાધી રહ્યા છે તે ન સાધી શકે. એમણે કરવા શું માંડ્યું છે? નાશક સાધનો ભેળાં કરવા માંડ્યાં છે અને સાધક સાધનો ખસેડવાની વાતો કરે છે. એવાં પણ ભાષણો થાય છે કે મંદિરોની કૉલેજ કરવી અને ઉપાશ્રયની પાઠશાળા (નિશાળ) કરવી. સભા સાધુઓને દેશવટો દેવો એમ પણ કહે છે ! એ તો એમ જ ઇચ્છે. એ વિના એમનું ધાર્યું ધૂળમાં મળે છે એટલે એમ જ કહેને ? અને મંદિરો સામેય એમની લાલ આંખ છે, કારણ કે ત્યાં જઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy