________________
o
૩ : શાસનના સૈનિકનું કર્તવ્ય : - 53– – ૩૯ વૈદ્યની દવા ખાવી હોય અને રુચિ થાય તો મગનું પાણી, તે પણ મીઠું, મરચું અને તેલ વિનાનું પીવું પડે, એના ઉપર નિભાવવું પડે, અગર વૈદ્ય કહે તે એક ચીજ ખાઈ ચલાવવું પડે. વૈદ્ય પણ કહે કે “માગે તો આ જ આપજો, બીજું ન આપશો, ભૂખ્યો રહે તો વાંધો નહિ, બે દિવસ ભલે ભૂખ્યો રહેતો, એની મેળે ભૂખ લાગશે ત્યારે ખાશે; પણ બીજું ન આપતા : રુવે તો રોવા દેજો, જો પથારીમાંથી ઉઠાડવો હોય તો રોવા દેજો, પણ મેં કહ્યું તે જ આપજો, એના વગર બીજું કંઈ આપશો નહિ !' આત્મહિતકારી અસત્ય હોય ? એ સત્ય જ હોય. શા માટે ? કોઈ પણ પ્રાણીનો નાશ ન થાય, એને પીડા ન થાય, કોઈનું પણ બૂરું ન થાય એ ભાવના છે માટે !
બધાં વ્રતો અહિંસા વતની વાડ તુલ્ય છે. અહિંસા ન હોય તો સત્ય એ સત્ય નથી. અચૌર્ય એ અચૌર્ય નથી, બ્રા એ બ્રહ્મ નથી અને અપરિગ્રહ એ અપરિગ્રહ નથી. માછલાને ફસાવવા માટેની બગલાની શાંતિ કે સ્થિરતા એ ધર્મ ખરો ? કોઈનું ખરાબ કરવાની બુદ્ધિથી સારી વસ્તુની સેવા પણ ખોટી છે અને બીજાનું ભલું કરવા માટે કડવાશ કરાય તો પણ મીઠું ! સ્વ તથા પરને હિતકર હોય તે ધર્મ અને સ્વ તથા પરનો ઘાત કરે તે અધર્મ !
ઘણીવાર કહેવાયું છે કે હિતકારી ચીજ બાળક જાતે ન પીએ તો મા છાતી પર પગ મૂકી , મોં ફાડી, વેલણ ખોસીને પણ પાય : અંદરનો રોગ કાઢવા માટે ગમે તે રીતે પાય. અંદરથી કાપીને કાઢવા જેવા રોગ માટે બેભાન કરીને પણ કાપવાની ડૉક્ટરને છૂટ આપો છો ને ? માણસ નશાથી મૂઢ બનાવી જેને જોતાં કંપાય તેવાં હથિયાર ખોસી દેવાની છૂટ દેવાય છે ને ? દર્દ મટાડવું હોય ત્યારે વહાલામાં વહાલા દીકરાનું પેટ કાપવાની પણ સર્જનને છૂટ આપો છો કે નહિ? પેટને કાપે અને વળી એમનું માન-સન્માન કરવું પડે તથા માગે તેટલા રૂપિયા થેલીમાંથી કાઢીને આપવા પડે ! એ સર્જને તો પેટ કાપ્યું, પાટા બાંધ્યા અને હરતાફરતાને સૂતો કર્યો તોય ? હા, એને ખાવા પણ પૂછીને અપાય, અરે સંબંધીને મળવા દેવાની એ ના પાડે તો મળવા દેવાય નહિ. મળવા આવે તો દરદીને તાકાત આવ્યા બાદ, ડૉક્ટરને યોગ્ય લાગે તો અમુક મિનિટ વાત કરવા દે, નહિ તો નર્સ કે નોકર છેટેથી કહી દે કે “તમારું કામ નથી, દરદી સારો છે, તમે ચાલ્યા જાઓ !” દીકરો કોનો ? જેણે એનું પેટ કાણું એનો તો નહિ ને ? અરે, લખી પણ આપવું પડે છે કે “મરે તો બાપનો જાય! જીવે તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org