________________
૩૮ -
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
-
-
ite
વિરોધીઓનો આજે ઘા ક્યાં છે? દર્શન પર તમારા બધામાં એ ભાસ થાય કે પૂર્વાચાર્યો પ્રપંચી હતા તો એ ફાવેને? પૂર્વોચાર્યોને તમે પૂજ્ય માનો ત્યાં સુધી કાંઈ વળે? નહિ, એ મહાપુરુષો પ્રત્યે રહેલી પૂજ્યતાની ઊલટી કરાવવાની આ કાર્યવાહી છે. દરેક સંયોગમાં સાવધ રહેવું જોઈએ કે આ તે સત્ય છે કે ઊલટી કરાવનાર છે ? કોઈ પણ પુસ્તક કે લેખ વાંચતાં પહેલાં લખનાર કોણ છે તે જુઓ ! ખાતાં પહેલાં આ ચીજ પાચક, વિરેચક કે વિકાર કરનાર છે તે જુઓ છો ને ? બચ્ચા ઉપરના ખૂબ પ્રેમથી મા દૂધને બદલે દૂધપાક તેના મોંમાં રેડે તો શું થાય ? તેમ તમે પણ લખનાર કોણ તે તપાસો અને પછી વાંચો, યોગ્ય જણાય તો વાંચો. કર્તા કોણ છે, ત્યાગી કે વિરાગી ? ઘરબારનો ત્યાગી કે ઘરબારી? દાતાર કે કૃપણ ? સંતોષી કે લૂંટારો ? ઊંધી કોટિના આદમીએ ગમે તેવું સારું લખ્યું હોય પણ વાંચવું નહિ, કારણ કે એ એની છાયા નાખ્યા વિના રહે નહિ. વેપારીને ત્યાં એક જ ભાવનાં પાટિયાં હોય, પણ ગ્રાહક સમજે કે “મારા જેવા ભોળાને દુકાનમાં લાવવા માટે આ પાટિયાં છે, બાકી તો બે રૂપિયા કહીને દોઢ કે સવાયે આપવાનો છે ” કંદોઈ તાજો માલ ગોઠવે, ગોઠવણી બહારથી એવી કરે કે રસ્તે ચાલતો લોભાય, પણ આપે પાછળથી. શાસ્ત્રકાર એવા નથી કે દેખાવ જુદો અને વસ્તુ જુદી. બીજા બધાએ તો વસ્તુથી દેખાવ જુદો કરવામાં ફાવટ માની છે ને ? શાસ્ત્રકાર કહે છે કે હિતદષ્ટિએ થતા પ્રયત્નો દેખાવમાં ખોટા દેખાતા હોય, પણ પરિણામે સારા હોય તો તે સારા ! શાસ્ત્ર સત્યની વ્યાખ્યા શી કરી?
મિત, પ્રિય અને હિતવિશિષ્ટ તે સત્ય. હિત, મિત અને પ્રિય એવું સત્ય બોલવું એમ કહ્યું. મિત એટલે પ્રમાણમાં બોલવું બહુ બોલનાર મૃષાભાષી થઈ જવા સંભવ છે : ઘડી ઘડી બોલવા જોઈએ તે બોલે શું ? માટે મિત એટલે પ્રમાણમાં બોલવું. શાસ્ત્ર કહે છે કે મિત ન હોય તો પણ ચાલે, પ્રિય ન હોય તો પણ ચાલે, અરે કદાચ તેવા કારણે બાાપેક્ષયા સત્ય ન હોય તે પણ ચાલે, પણ આત્મહિતકારક તો જોઈએ જ. આત્મહિતકારક ન હોય તે ન ચાલે ! આત્મહિત એ જ સત્ય !
રોગીને પથ્ય જ રૂચવું જોઈએ, એ જ ગમવું જોઈએ. ખાવાની રુચિ કરવી તો પણ પથ્થમાં, પણ અપથ્યમાં નહિ ! અપથ્યમાં રુચિ થાય તો તે પણ ખોટી!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org