SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ o – – ૩ : શાસનના સૈનિકનું કર્તવ્ય : - 53 - ૩૭ ' અરે, માનવા ખાતર માનો કે ભક્ષ્ય ભલે હોય, પણ શાસ્ત્ર કહે છે કે ઉદર જીવતો હોય ત્યાં સુધી ઉંદરની મરજી વિના એને પકડવાનો બિલાડીને હક્ક શો છે ? સામાના જીવન ઉપર તરાપ કયા હક્કે મારે છે ? સમ્યગ્દષ્ટિ આત્મા ઉંદરને છોડાવે તે બેયના હિતની ભાવનાએ - ઉદરના પ્રાણ બચે અને બિલાડી પાપથી બચે ! એકને પણ દુઃખી કરવાની એની ભાવના નથી. જે વસ્તુ ઉભયને હિતકર છે, જે વપરની હિતકર છે, તે દેખાવમાં અયોગ્ય હોય તો પણ તે વસ્તુતઃ સારી છે. બચ્ચે અજ્ઞાનથી સર્પ પકડવા જતું હોય અગર અગ્નિમાં હાથ ઘાલવા જતું હોય, તે વખતે મા એવી જોરથી કારમી રાડ પાડે કે બચ્ચે ગભરાઈ જાય, હેબતાઈ જાય, થંભી જાય. આથી માને નિર્દય કહેવાય ? વખતે ભયના માર્યા બચ્ચાના પ્રાણ પણ નીકળી જાય, તો પણ એ મા ઘાતકની કોટિમાં જઈ શકતી નથી. એની એ ઉગ્રતા કષાયના ઘરની નહોતી, પણ પુત્રપ્રેમના ઘરની હતી. તેમ કલ્યાણ કરવામાં જ રત મહાપુરુષો ઉપર ધર્મના નામે છેતરપિંડી કે કપટ કરતા હતા એવો આરોપ કરી શકાય તેમ નથી. ધર્મી ધર્મ માટે પણ અનીતિ, અન્યાય, પ્રપંચ કરે જ નહિ. ધર્મી એટલું કરે કે આ વ્યક્તિ આ શબ્દોથી ન સમજે તો બીજા શબ્દોથી સમજાવે : સીધું ન માને તો બીજી રીતે કહે. એવી રીતે કહે કે પેલો સમજે. જેવો વિદ્યાર્થી તેવો શિક્ષકનો અભ્યાસક્રમ. એક વિદ્યાર્થીને શબ્દથી દાખલો શીખવાડે બીજા માટે પા કલાક લે : ત્રીજા માટે પાટિયું વાપરે : ચોથા માટે સોટી પણ લે ! સોટી વિના પેલા ધ્યાન આપે નહિ તો કસોટી પણ લેવી પડે. પેલાને ઘડી ઘડી કહે કે પાટિયા સામે જો.” ન જુએ તો સોટી મારે. એવા પણ નઠોર વિદ્યાર્થી હોય કે સોટીને પણ ન માને, તો બે કલાક બહાર ઊભા રાખે : એમ છતાં ન માને તો એના બાપને ચિઠ્ઠી લખી મોકલે : છતાં ન સુધરે તો નિશાળમાંથી ડિસમિસ પણ કરે. શિક્ષક એ જ પણ બધા માટે આવી જુદી જુદી કાર્યવાહી કરે. ઇશારાથી સમજે તેને ઇશારાથી સમજાવે, ઠપકાને યોગ્યને ઠપકો આપે અને સોટીને લાયક હોય તેને સોટી પણ મારે. શા માટે ? વિદ્યાર્થીના હિત માટે ! ત્યાં શિક્ષકનો ગુનો નથી. કોઈ આ શિક્ષકને પક્ષપાતી કહે તો ? એકને અક્ષરથી સમજાવે છે, બીજાને સોટી મારે છે, ત્રીજાને બાંકડે ઊભો રાખે છે, માટે એ શિક્ષક પક્ષપાતી છે એમ કોણ કહે ? જે અક્કલ વગરનો હોય તે જ કહે. અક્ષરમાં સમજી શકે તેવા લાયક વિદ્યાર્થીને નિષ્કારણ સજા કરે કે ડિસમિસ કરે તો એને પક્ષપાતી કહેવાય, બાકી શિક્ષકની બદબોઈ કરવી હોય તે ગમે તેમ બોલે. માટે બદબોઈ કરનારાનો હેતુ તપાસો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy