________________
૩૭
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૪
આગળ ધરે : એ સમજે કે ‘આપણે તો પચાસ રૂપિયાના ગ્રાહક !' દુનિયાના પદાર્થના પ્રેમીથી આ બધાં ધૂનન થાય ? મુઠ્ઠીનું ન વર્ષે તે હૈયાનું વર્ષે ? દુષ્ટ ભાવનાવાળા રાગાંધો નાચે છે તેમાં નવાઈ જેવું શું છે ? ધર્મીઓ પણ ધર્મનાં કૃત્યો વખતેય જો બહારની ચીજના ત્યાગમાં વિલંબ કે સંકોચ કરે, તો આંતરશત્રુથી પીડાતા રાગાંધો નાચે કે કૂદે અને તોફાન કરે તેમાં નવાઈ શી ? બાહ્ય વસ્તુ છૂટે તો અંદરની છૂટે.
પૂર્વના જે જે મહાપુરુષો પ્રભાવના કરી ગયા તે શાથી ? પ્રભુમાર્ગમાં સર્વસ્વ સમર્પીને ! એ સમજતા જ હતા કે ‘આ બધું તો માત્ર કર્મજન્ય છે : એ આત્માનું નથી : એના ત્યાગમાં જ આત્માનું કલ્યાણ !' અને માટે જ એ પ્રભાવના કરી શક્યા. બાહ્ય ચીજો ખાતર જ આજ તો આત્મધર્મને કલંક લાગી રહ્યું છે. માટે તો અનંતજ્ઞાનીએ કહ્યું કે બધાં ધૂનનની ભાવનાવાળાઓએ પહેલાં બાહ્ય સંયોગોને ખોટા માનીને છોડતાં શીખવું જોઈએ. પ્રભુની આજ્ઞાની આડે જે જે આવે તે તે ન જોઈએ : પછી ભલે તે લક્ષ્મી હોય, મા, બાપ, ભાઈ, સ્ત્રી, પુત્ર કે ગમે તે હોય, પણ એ છોડવાનું ! આ ક્યારે થશે ? કર્મ અને આત્માનો ભેદ બરાબર સમજાશે ને હૈયે જયશે ત્યારેને ? માન્યું કે કદાચ અમલ ન થાય, પણ ૨ક્ષણ સમયના પ્રસંગે પણ સર્વસ્વ સમર્પવાની ભાવના હોય તોય સમ્યક્ત્વ નિર્મળ થાય અને એ નિર્મળ સમ્યક્ત્વના યોગે આત્મા ધર્મને જરા પણ આઘાત ન પહોંચવા દે. શરીર માટે, લક્ષ્મી માટે, પેઢી માટે અથવા સંસારમાં તમે માનેલી તમારી વસ્તુની રક્ષા માટે જેટલા વિચાર અને પ્રયત્નો કરો છો, તેટલા જ માત્ર પણ જો અહીં કરો તો ધર્મ આજે દીપ્તિમાન થાય : આજે શાસન ઝળકે. સત્ય કોને કહેવાય ?
776
સભા : ધર્મમાં છેતરપિંડી થાય ? જેમ કુમારપાળને બચાવવા સિદ્ધરાજને છેતર્યો અગર દીક્ષાપ્રસંગે બને છે તેમ ? - આવા પ્રશ્નો સામા પક્ષથી થાય છે.
આ પ્રશ્ન બહુ જ ગંભીરતાથી વિચારવો પડે તેમ છે, નહિતર એનો અનર્થ થઈ જવાનો પૂરો સંભવ રહે છે. કેટલીક વાર અમુક બાબતોમાં એમ જાણતા હોઈએ કે અમુક થાય, છતાં પણ એની સીધી ‘હા’ ન પાડી દેવાય. ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા વિદ્વર્ય સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ધર્મબિંદુમાં લખે છે કે ઉભયનું હિત હોય તો ધર્મમાં થયેલી માયા એ અમાયા છે. બિલાડીએ ઉંદર પકડ્યો, હવે ઉંદર એ બિલાડીનું ભક્ષ્ય છે, માટે ન છોડાવાય એવો પણ મત છે ને ? સભા : ભક્ષ્ય કહ્યું કોણે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org