________________
૩ : શાસનના સૈનિકનું કર્તવ્ય ઃ - 53
નામોનિશાન મિટાવી દે. અને જ્યાં ખુદ રાજાનો હુકમ થયો પછી ત્યાં દાદફરિયાદ કોણ સાંભળે ? સ્થિતિ આટલેથી અટકતી નથી. શ્રી ઉદાયન મંત્રીશ્વરનો પોતાનો દીકરો ચાહડ પણ સિદ્ધરાજના પક્ષમાં હતો અને રાજ્યનો લોભી હતો, એટલે વાત ફૂટતાં વાર લાગે તેમ ન હતું. છતાં એ બધાંય જોખમની કિંમત માત્ર એક સ્મિતમાં જ કાઢી નાંખીને, શ્રી ઉદાયને સૂચવી દીધું કે ‘એમ જ થશે. ઉદાયન જીવતાં કુમારપાળનો વાળ સરખોય વાંકો નહિ થાય !' પોતે કુમારપાળને સાચવ્યા છે. આ ક્યારે બને ? મંત્રીમુદ્રા કરતાં ધર્મમુદ્રા વધારે વહાલી હોય તો ને ? અરે, જીવન કરતાંય ધર્મ વધારે વહાલો હોય તો જ ને ?
775
જ્યારે હેમચંદ્રસૂરીશ્વરજી બાળક તરીકે એમને ત્યાં આવ્યા અને સૂરીશ્વરના સંસારી બાપ એમને ત્યાં લેવા આવ્યા, ત્યારે તે મંત્રીશ્વરે શું કર્યું છે ? એની ખૂબ મહેમાનગતિ કરી છે. પોતાને ઘેર લઈ જઈ, પાટલે બેસાડી, જમાડી, બધી રીતે સન્માન કર્યું છે. આટલા પછી એની પાસે ત્રણ લાખ સોનૈયાની ભેટપૂર્વક માગણી કરી કે ‘તમારા ચાંગદેવનું પ્રભુશાસનમાં સમર્પણ કરો !' મંત્રીશ્વર ઉદાયન જેવા આવે પ્રસંગે ત્રણ લાખ સોનૈયા આપવા તૈયાર થયા, એ કઈ ભાવના ? ચાંગદેવના બાપ કહે છે કે ‘મંત્રીશ્વર ! મારે આ ન જોઈએ, બાકી માનો કે આ પુત્ર આપનો જ છે.' ઉત્તરમાં શ્રી ઉદાયન મંત્રી સમજાવે છે કે ‘માંકડા જેવો બનાવવો હોય તો મને સોંપો અને જગદ્ગુરુ બનાવવો હોય તો શાસનને સોંપો. મારા છોકરાનું સ્થાન સારું ન માનો. એમાં તો ગુલામી ભરી પડી છે : ત્યાં જશે તો જગત એનાં ચરણોની સેવા કરશે.' આવા ઉત્તરથી ચાંગદેવના પિતાએ વિચાર્યુ કે ‘મંત્રીશ્વર જે સ્થાનને આવું પવિત્ર માને ત્યાં સોંપવામાં વાંધો શો ?' તરત સોંપ્યો : સોનૈયા ત્યાં જ રહ્યા : પાઈ પણ ન લીધી : મિથ્યાદૃષ્ટિ હતો છતાં એમાં અહોભાગ્ય માન્યું ! આવા મંત્રીશ્વરો સંસારમાં રહ્યા હોય તો પણ કર્મોદયે કહેવાય, હૃદયના રંગથી એ રહ્યા એમ ન મનાય. મંત્રીમુદ્રાની એમને પરવા જ નહિ. કુટુંબ પણ માત્ર ચાહડને છોડીને એવું ! ચાહડે ઉત્પાત ઘણો મચાવ્યો, પણ મંત્રીશ્વરે કુમારપાળનો પત્તો ન લાગવા દીધો. ધર્મરક્ષા આમ થાય. ‘શું થશે' એમ થાય તો ?
૩૫
જે ધર્મમાં પોલો હોય તે સ્વામીનું શું ઉકાળે ? જે ધર્મરક્ષામાં પ્રવીણ હોય, તે જ સ્વામીની રક્ષામાં પ્રવીણ હોય, આજના સુધરેલા સેવકો તો સ્વામીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org