________________
૩૪
--
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
-
4
એ વ્યવહાર ધર્મને સાધક ન હોય તે વાત જુદી, પણ બાધક તો ન જ હોય. આ બધું વિચારવું નથી ત્યાં શું થાય ? શાથી નથી વિચારાતું? બાહ્ય સંયોગોમાં ભળ્યા છો અને માત્ર માનપાન અને પૈસાથી ટેવાયા છો માટે ને ? ધર્મક્રિયામાં જોડાવાથી વ્યવહારથી ખુરશી ઊડી જતી હોય તો તમે એમ પણ કહી દે ને કે “વાત સાચી પણ સંયોગો નથી.” “વાત સાચી' – એટલું કહે એટલો ભાગ્યવાન, પણ એથી જે કરવાનું તે તો થાય જ નહિ ને ?
કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી એટલે કહોને કે શ્રી ઉદાયન મંત્રીના ખોળામાં ઊછરેલું બચ્ચું ! નાની પાંચ વરસની ઉંમરે એમને ત્યાં જ એ આવ્યા હતા ને ? એમને લાવવામાં આવ્યા હતા ને ? એમને પાળનાર, દીક્ષા અપાવનાર એ બધું જ કરનાર ઉદાયન મંત્રી ! છતાં એ જ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા કુમારપાળના સંબંધમાં ખંભાતમાં એ જ ઉદાયન મંત્રીને શું સૂચવે છે અને મંત્રીશ્વરને કેવી અસર થાય છે તે વિચારો !
શ્રી કુમારપાળની પાછળ સિદ્ધરાજના મારા એને મારવા માટે કરે છે. એ કુમારપાળ ભાગીને ખંભાતમાં આવ્યા છે. શ્રી હેમચંદ્રસૂરિવરે આકૃતિથી ઓળખ્યા છે. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી ઉદાયન મંત્રીને બોલાવી સૂચવે છે કે કહીએ તે થશે ?' એમના મનને એમ થાય છે કે “આવો પ્રશ્ન હોય ? ન થાય કેમ ? પૂજ્ય આચાર્યશ્રી આજે એવું કેમ પૂછે છે ?” એમ એમને દુઃખ થાય છે. શ્રી હેમચંદ્રસૂરિ મહારાજા સૂચવે છે કે “કામ મોટું છે. જેમ જેમ અધિક સૂચવાય છે, તેમ તેમ મંત્રીશ્વરનું કાળજું કંપે છે. ઉદાયન મંત્રી પણ સૂચવે છે કે જેની સેવામાં આ મસ્તક છે, ત્યાં અમુક કાર્ય સેવકથી થશે કે કેમ ? - એ પ્રશ્ન હોય ? ઉદાયન મંત્રી આ રાજ્યની સેવા જ કરવા કે મંત્રીપદ સાચવવા જ નથી જીવતો : એને મન ધર્મની કિંમત એથી વધારે છે. ફરમાવો ગુરુદેવ ! ધર્મ માટે માથું પણ આપીશ !” તરત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ કુમારપાળને ઓળખાવીને સૂચવ્યું કે “આ કુમારપાળ છે, એનું રક્ષણ થઈ શકશે ?” મંત્રી ચોંક્યો “કુમારપાળ અહીં ?' કુમારપાળ એટલે સિદ્ધારાજનો દુશ્મન અને ઉદાયન એટલે એ જ સિદ્ધરાજનો મંત્રી-સૂબો. સિદ્ધરાજનો હુકમ છે કે “કુમારપાળને પકડવો.” આવી સ્થિતિ વચ્ચે એ ઉદાયન મંત્રીશ્વર જો કુમારપાળનું રક્ષણ કરે અને સિદ્ધરાજ જાણે, તો એને પોતાને તો ગરદન મારે જ પરંતુ એના કુટુંબનેય ગરદન મારે, એનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org