________________
In - ૩ઃ શાસનના સૈનિકનું કર્તવ્ય - 53– – ૩૩ નથી' કહી ઢીલા થાય : આ શરીરને કંઈ થવું જ ન જોઈએ એની પહેલી કાળજી ! જેના ત્યાગમાં ધર્મ માન્યો તેના રાગને સંઘરવો તે પત્તો કેમ લાગે ?
શાની કહે છે કે બાહ્ય સંયોગોને ફેંકતાં શીખો. લાખ્ખો આવે તોય કહો કે મારા નથી, મને શું લાભ ?” જાય તો કહો કે “ભલે ગયા, મારા હતા જ નહિ.' - આવી ભાવના હોય તો તારણહાર તીર્થાધિરાજ શ્રી સિદ્ધગિરિજીના ફાળામાં આંટા ખવરાવાય ? લક્ષ્મી પ્રત્યે જેટલો રાગ તેટલો અહીં છે ? પર લોકના તારક એવા તીર્થની સેવામાં વળી વિચાર શા? તરત જ દેવાય. મિમાં કોણ શાં અને મનામણાં શાં? લ્યો, લ્યો” - કહેવાનું હોય ! “કમભાગ્ય કે વધારે આપવાની તાકાત નથી, આ તો ઓછું છે.' - આપતાં પણ આ ભાવના હોય. હારના સંયોગોથી, એટલે કે લક્ષ્મી વગેરેથી રાતાપીળા ફરો બી એમ ન માનતા : પૂર્વના પુણ્યનો ઉદય છે માટે આ બધું છે, બાકી કેટલાય બુદ્ધિના બળિયા ભીખ માગે છે અને અક્કલ વગરના કેટલાયને માં જાય ત્યાં ગાદી મળે છે ! ત્યાં પુણ્યનો પ્રભાવ છે. દુનિયાના પદાર્થોથી
રાણ પોતાને સુખી ન માનતા ! જીવાયનનું ઉત્તમ હદય : - હૃદયથી બાહ્ય વસ્તુનો ત્યાગ નહિ થાય, તો કર્મધૂનન તો દૂર રહ્યું પણ ધર્મક્રિયા પણ બરાબર નહિ થાય ! ધર્મક્રિયાને બાધ કોણ કરે છે? વ્યવહાર, બાહ્ય સાધન. પૈસાની બાબતમાં તો પક્કા છો. ત્યાં વ્યવહારને પણ નેવે મૂકો. ગમે તેટલો પ્રેમ હોય પણ પૈસામાં વાંધો પડ્યો તો ? નીતિકારે પણ કાયદો બાંધ્યો કે મિત્રતા રાખવી હોય તો તેની સાથે પૈસાની લેવડદેવડ ન કરવી, મતલબ એને પૈસા ન ધરવા તથા તેની સ્ત્રી સાથે સંબંધ ન રાખવો. આ બે ચીજ ન હોય તો પ્રેમમાં ઝેર ક્યારે ભળે તે કહેવાય નહિ : માટે પૈસા એને દેવા નહિ તેમજ એના અંગત માણસ (સ્ત્રી) સાથે પરિચય રાખવો નહિ. આડતિયાની સાથે પણ વ્યવહાર ક્યાં સુધી રાખો ? ચોપડા મુજબ સીધા ચાલે ત્યાં સુધીને ? વ્યાજ સાથે બરાબર નાણાં આપે ત્યાં સુધીને ? છૂટ લેવીદેવી એ વાત જુદી છે, પણ વાયદાસર ઠરાવ મુજબ નાણાં ન આપે તે આડતિયાની સાથે વ્યવહાર તોડવામાં વાર કરો છો ? ત્યારે અહીં ધર્મની વાતમાં કેવો વ્યવહાર જોઈએ ? ધર્મ કોણ કહેવાય ? ધર્મી તો તે, કે જે ધર્મમાં બાધક હોય તેવા વ્યવહારને ઠોકર મારે અને ધર્મના સાધક વ્યવહારને માને ! કદાચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org