________________
૩૨
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
સંયોગો જાય તો ત્યાગ રુચેને ? પૈસા દેખીને જેને મોળ છૂટતી હોય તે કોથળીમાંથી શી રીતે કાઢે ? પ્રસંગ આવ્યે બહુ જ ભાવના ચડે તો મૂઠી ભરે, પણ પાછી અંદર જ ઠલવાય અને ખાલી બહાર આવે. એનાથી કેમેય છૂટે નહિ, કદાચ દે તો પણ બળી બળીને દે ! જ્ઞાની કહે કે બાળીને વાવેલું બી મરકી ફેલાવે. જેને ચીજ મૂંઝવતી ન હોય તે પ્રસન્ન ચિત્તે કાઢીને આપે.
લક્ષ્મીને ખોટી માન્યા વગર વાસ્તવિક દાન દેવાતું નથી. કદી દેવાય તો પણ એ વસ્તુતઃ દાન નથી હોતું : અનેક રીતે દાન દેવાય છે : અનેક આશયથી દાન દેવાય છે : આપીએ થોડું, મળે ઘણું એવી કંઈ કંઈ ભાવનાઓથી પણ દેવાય છે. લક્ષ્મીને અસાર સમજીને દાન દેવાય તો તે વાસ્તવિક દાન છે. લક્ષ્મીની અસારતાની વાસના જાગ્રત થાય, દાનનું ખરું સ્વરૂપ સમજાય, પછી અરધામાંથી અરધું આપતાં પણ વાંધો નહિ આવે ! ગમે તે હાલતમાં પેટમાં નાખવા પૂરતામાંથી પણ તે અરધું આપે ! પેટમાં નાખવા માટે પણ ઓછું હોય તોય જે હોય તેમાંથી આપે. સુકાઈ ગયેલ નદીના માર્ગમાં ખોદો તો પણ પાણી નીકળે, પણ રેતીના રણમાં ખાડો ઘણોય ઊંડો ખોદો, પણ પાણી ક્યાંથી નીકળે ? ત્યાં કદી બહારના વરસાદનું પૂર આવે તો બે ચાર દી પાણી ટકે, પણ પછી તાપ એવો કે પાણી રહે જ નહિ. દાન, શીલ, તપ, ભાવ સાચાં કોને કહેવાય ? બાહ્ય સંયોગો ખોટા માને તો ! જેના ત્યાગમાં કલ્યાણ એવું મોઢે બોલીએ, છતાં જેનો ત્યાગ કરવાનો તેના પર તો હ્રદયથી રાગ રાખીએ, પછી કલ્યાણ ક્યાંથી થાય ? એ તો પછી અંદર જુદું અને બહાર જુદું થયું ને ? એ કોનો ગુણ ? મન, વચન અને ક્રિયા જુદાં હોય એ તો દંભીનો ગુણ : ત્રણે સમાન અને શુદ્ધ હોય તે સાધુનો ગુણ ! શુદ્ધ મનવાળો વચન શુદ્ધ બોલે અને એની પ્રવૃત્તિની દિશા શુદ્ધ હોય, પ્રયત્ન શુદ્ધિ તરફ જ હોય, બાકી મનથી કંઈ, વચનથી કંઈ, ને કાર્યની જુદી જ દિશા, એ તો દંભ !
772
દાન એટલે હોય તે દેવું, એટલે બાહ્ય સંયોગોનો ત્યાગ. શીલ એટલે શરીરના સુખનાં સાધનો ઓછાં કરવાં તે ! તપ એટલે શરીરને તપાવવું તે ! ભાવના એટલે ઉત્તમ ગુણો ખીલે તે સિવાય બીજો વિચાર ન કરવો તે ! આ ચારમાં ધર્મ માન્યો અને હૃદયથી શરીર તથા લક્ષ્મીનું મમત્વ ન ઘટે, તો એ દાનાદિ કેવાં કહેવાય ? ખાસ કારણ સિવાય પણ એક ઉપવાસમાં તો ‘તાકાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org