________________
૩ : શાસનના સૈનિકનું કર્તવ્ય : - 53
પાન કરી ત્યાગના પવિત્ર પંથે વિહરનાર રાજા-મહારાજા કેવા હતા, - એ બધું માત્ર વાંચીએ એટલે જાણીએ, પણ આંખ સામે તો કાંઈ જ નહિ ને ? આપણને તો અત્યારે એ પ્રભુ, એ ગણધરદેવ કે એ ભોગને રોગ માની નીકળતા, ક્ષણવારમાં મોહને થાપ આપતા એ મહાપુરુષોનું સંયમ જોવાની તક ન મળે, પણ દેવતાઓ તો નજરે જુએ છે, શાસ્ત્ર કહેલી ઘણી ઘણી વસ્તુઓ નજરે ભાળે છે, પ્રભુએ કહેલું ઘણું સાક્ષાત્ નિહાળે, ઉત્કટ સંયમ પાળનારને જુએ, પણ એમને વિરતિનાં પરિણામ ન થાય ! થાય શી રીતે ? બાહ્ય સંજોગો પાસે ને પાસે જોય ત્યાં થાય શી રીતે ? દેવતાઓ એ માટે તો સાહ્યબી ને સાધનસંપન્નતા છોડી મનુષ્યભવમાં આવવા ઇચ્છે, પૂજા વખતે કે દેશના સાંભળતી વખતે મનુષ્યથી બાહ્ય સંયોગો આધા હોય છે, પણ દેવતાઓને તેમ નથી હોતું. દેવતાનો ભવ તેવો છે કે વિરતિ ઉદયમાં ન આવે. દેવતા એટલે જાણે ભોગ માટેનો જ ભવ. ચોમેર ભોગ બેઠેલા, વીંટાઈ વળેલા ! શ્રી તીર્થંકરદેવ પાસે અગર ગમે ત્યાં જાય, . તે નવા રૂપે ! મૂળ રૂપ તો ત્યાં જ. ભોગસામગ્રીથી એનાથી ખસાય જ નહિ. ત્તર વિમાનવાસી દેવમાં વિકાર તથા કષાયનું નામ જ નહિ, એમના સુખને
બાર મહિનાનું તથાવિધ સંયમ જોઈએ, એવું તો એમનું આત્મિક સુખ અને ષડૂદ્રવ્યના ચિંતવનમાં જેની જિંદગી જાય, શંકા થાય કે તરત શ્રી જિનેશ્વરદેવ અહીં બેઠાં ઉત્તર આપે અને આનંદ આનંદ સિવાય બીજી કશી વાત * નહિ અને તે છતાંય ત્યાં તથાવિધ રાગ નહિ, પરંતુ આટલું આટલું છતાંય વિરતિનાં પરિણામ તો ન જ આવે ! કષાયનાં પરિણામ ગયાં, પણ તે અનંતાનુબંધીનાં ગયાં : બીજા સંયોગો તો બેઠા છે. મનુષ્યને તો વિરતિનાં પરિણામ પણ આવે અને પ્રવૃત્તિ પણ કરી શકે. દેવતાને તો પરિણામ જ ન આવે. માત્ર ભાવના ! મનુષ્ય તો વિરતિનાં પરિણામ વિનાય વિરતિની પ્રવૃત્તિ કરે, પ્રવૃત્તિ થાય, પ્રવૃત્તિ કરવાની છૂટ અને તે એવી પ્રવૃત્તિ કરે કે વિરતિને ખેંચે. દેવતાને માટે ન તો પ્રવૃત્તિ અને ન તો પરિણામ ! બાહ્ય સંયોગોનો ત્યાગ એ જ આંતરસંયોગો ઉપર પ્રહારનું કારણ છે.
771
એક દૃષ્ટિએ તો ‘ભાવ કરતાં દ્રવ્યની પ્રધાનતા વધારે છે !' મકાનમાં ઉપલા માળે સુખની બધી સામગ્રી છે, પણ ત્યાં જવા માટે નિસરણી જોઈએ. નિસરણી વિના ચાલે જ નહિ. ભાવ શ્રેષ્ઠ છે, પણ અધમ દ્રવ્યના ત્યાગ વિના અને શ્રેષ્ઠ દ્રવ્યના આલંબન વગર ભાવની પ્રાપ્તિ પણ થતી નથી. બહારના
Jain Education International
૩૧
For Private & Personal Use Only
www.jainelibrary.org