SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦. –– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - સૈનિકો પણ સેનાપતિના વાવટા મુજબ વર્તે : તમામ કાર્યવાહી સેનાપતિ કરે સૈનિક દોડવા માગે પણ વચ્ચે ખાઈ હોય તો શું થાય? - એ બધી ખબર રાખી તે મુજબ વાવટો ફેરવવાનું કામ સેનાપતિ કરે. સેના થોડા પરિશ્રમે વિજય કેમ મેળવે, - એ જોવાનું કામ સેનાપતિનું ! આપણે પણ શાસનના સૈનિક છીએ. શ્રી જિનેશ્વરદેવ એ સૈન્યના સેનાધિપતિ : અને આગમ એ આપણો વાવટો. એ વાવટા મુજબ જ આપણે વર્તવાનું. એની હયાતીમાં આપણી હયાતી : એના વિજયમાં આપણો વિજય અને એના નાશમાં આપણો નાશ, - આ બરાબર બચવું જોઈએ ! આ ધ્વજની વિરુદ્ધ વર્તાય જ નહિ, વર્તનાર દ્રોહી ગણાય અને જે કોઈ એ ધ્વજની શત્રુતા કરતું હોય તેની છતી શક્તિએ ઉપેક્ષા કે એનો સહકાર એ પણ દ્રોહ ! લશ્કરનો નિયમ હોય છે કે શા માટે, એમ ત્યાં પુછાય જ નહિ આજ્ઞા ઉઠાવવી એ જ ત્યાં કર્તવ્ય.' એ જ મુજબ અહીં પણ હોવું ઘટે. જીવન ને મરણની દરકાર વગર કર્તવ્યનિષ્ઠ રહેવાય તો જ આ શાસનની સેવા થઈ શકે તેમ છે. અસ્તુ. ચાલો આગળબાહાનું મમત્વ એ જ દુખ ! જેમ શાસનની જડ સમ્યક્ત્વ, તેમ “કર્મધૂનન' કરવું હોય તો કર્મની જડરૂપ બાહ્ય સંયોગોનો ત્યાગ કરવો જોઈએ. બાહ્ય સંયોગોનો ત્યાગ ન થાય, ત્યાં સુધી આંતરસંયોગોનો ત્યાગ કઈ રીતે થાય ? દેવતા પ્રભુની ભક્તિ તો મનુષ્યથી કેટલાય ગણી કરે છે. ક્ષીરસાગરનાં પાણી લાવી અભિષેક કરે, ઉત્તમોત્તમ સુગંધીથી ભરપૂર કમળો લાવે, તેમ જ પ્રભુની સેવામાં જોઈતાં બધાં સાધનો ઢગલાબંધ લાવે અને ઠાઠમાઠથી ભક્તિ કરે એમાંનું મનુષ્યથી કેટલું થઈ શકે તેમ છે ? છતાં જ્ઞાની ફરમાવે છે કે મનુષ્ય જે ભક્તિ કરી શકે છે તે દેવતા પણ કરી શકતા નથી : કારણ કે ભક્તિ સમયે પણ દેવતાને બાહ્ય સંજોગોનો ત્યાગ નથી : મનુષ્ય તો જેટલો સમય ભક્તિ કરે તેટલો સમય બાહ્ય સંયોગોથી આઘા હોય છે, જ્યારે દેવતાઓ ક્ષણ પણ બાહ્ય સંયોગોથી આઘા થઈ શકતા નથી ! એમને શ્રી તીર્થંકરદેવ જેવાનો ઉપદેશ શ્રવણ કરવા મળે, પોતાને ગમે ત્યારે પોતે જ્યાં શ્રી તીર્થંકરદેવ વિરાજતા હોય ત્યાં જઈને દેશના સાંભળે, માત્ર એક ભવમાં પણ અનેક શ્રી તીર્થંકરદેવની દેશના પણ સાંભળે, અને સંખ્યાબંધ મહાપુરુષોના અવર્ય ત્યાગ નજરે ભાળે છે! આપણે શ્રી તીર્થંકરદેવ કેવા હતા, શ્રી ગણધર ભગવાન કેવા હતા, તેમના ઉપદેશની અમૃતધારાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy