________________
Tણ
-૩ શાસનના સૈનિકનું કર્તવ્ય : - 53
-
૨૯
દાઢમાંથી ઝેર કાઢી લે, પછી એ કમજોર થાય એટલે એને ગળે વીંટે, કારણ કે ભયની ચીજનો નાશ કર્યો ! જ્ઞાનીએ પણ જોયું કે જ્યાં સુધી બહારનું ઝેર ન જાય, ત્યાં સુધી આત્માનું જવાહર બહાર ન આવે? માટે ‘કર્મધૂનન કરવા માટે એની જડ પકડવી જોઈએ.
શાસનની જડ (મૂળ) દર્શન છે, જ્ઞાન કે ચારિત્ર નથી ! દર્શનના યોગે શાસન છે, પણ દર્શનવિહીન જ્ઞાન-ચારિત્રના યોગે શાસન નથી ! દર્શનમિશ્રિત હોય તો જ સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર ટકે. પ્રભુના શાસનની જડ ત્યાં છે. આપણે ચોમેરથી એ જ જોવું જરૂરી છે કે એના ઉપર હલ્લો ન આવવો જોઈએ. કદાચ જ્ઞાન ન હોય તો ચલાવી લેવાય, ચારિત્ર મોડું-વહેલું આવે તોય તે ચલાવી લેવાય, પણ દર્શનની ચોકી કરવી જોઈએ. એની ચોકીમાં જ આત્માનું કલ્યાણ છે. દર્શન એટલે શ્રી જિનેશ્વરદેવ, તેમની આજ્ઞાનુસાર વર્તનારા નિગ્રંથ ગુરુદેવો, અને શ્રી સર્વજ્ઞ દેવોથી ઉપદિષ્ટ-ગણધરદેવોથી ગુંફિત-રચાયેલ અને પૂર્વાચાર્યોથી સુરક્ષિત આગમ તે જ અમારું તારક : એના સિવાય ઉદ્ધાર નથી એમ માનવું તે દર્શન! શ્રી જિનેશ્વરદેવ કહે છે તેમાં જરા પણ ફેરફાર નથી જ, એમ માનવું તે દર્શન ! પણ આજના શાસનવિરોધી પુદ્ગલાનંદી લોકોનો ઘા ત્યાં છે. એ કહે છે કે જૂના કહે તે ન માનવું, માત્ર આપણી બુદ્ધિમાં સૂઝે તે માનવું : એટલે કે માનસિક સ્વચ્છંદતામાંથી જે કાંઈ હુરે તે આચરવું અને તેનું જ નામ એમનું આગમ ! એ લોકો દર્શનરૂપ જડને કાઢવા માગે છે, પણ આ જડ એવી મજબૂત છે કે સમર્થ પૂર્વાચાર્યોએ પણ જ્યાં જ્યાં વાત ન બેઠી ત્યાં એક જ કહ્યું કે તવંતુ
નિાખ્યમ્ - તત્ત્વ કેવલિ જાણે.” દર્શનની જડ એવી મજબૂત હોવાના કારણે જ એવા જ્ઞાની પણ પોતાને અમુક વાત ન બેસે કે તરત ત્યાં “જ્ઞાની જાણે' કહેતા.
જ્યાં સુધી આ જડ આવી બાઝેલી રહે, ત્યાં સુધી આત્માને આજના મગજના વિષમ ફાંટા અસર ન કરે.
બાબાવાક્ય પ્રમાણં' ન જોઈએ એમ કહે, પણ આજે એ “બાબાને નામે તાગડધિન્ના કરે છે અને “એ આમ કહેતા ને એ તેમ કહેતા' - એવી બાંગો પોકારે છે. એક તરફ “બાબાને નામે ચરી ખાવું અને બીજી તરફ એ “બાબા' પણ જેનાથી “બાબા' બન્યા, એમને ઉખેડવાની પેરવી કરવી એ શું કહેવાય ? એવું બોલનારાઓનું એવા અમુક માણસોનું સાધ્ય શું છે તેની કાળજી ન રાખો, તો તમે પણ શાસનમાં શી રીતે ટકી શકો ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org