SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ -- - 768 ઉડાવવા મહેનત કરે છે. એ લોકો કે જે ધર્મજનોની સહાયથી ઊછરી, ધર્માભ્યાસથી વિદ્વાન બનેલા છે, તેઓ બરાબર સમજે છે કે દર્શન, એ જ્ઞાન તથા ચારિત્રનું મૂળ છે. દર્શન ગયું એટલે જ્ઞાન અને ચારિત્ર તો ગયેલાં જ છે. એ લોકોના ખ્યાલમાં એ પણ વસેલું જ છે કે આપણે જો જ્ઞાન તથા ચારિત્રનો ઇન્કાર કરીશું તો દુનિયામાં કોઈ ઊભાય નહિ રહેવા દે, કેમ કે ગમે તેવું જ્ઞાન તો બધાને જ જોઈએ છે અને ચારિત્ર તો પ્રતિષ્ઠાનું કારણ છે જ. નાસ્તિકમાં નાસ્તિક આદિ પણ, દેવ-ગુરુ તથા પુણ્ય-પાપ વગેરેને જરાય માનતો નહિ હોવા છતાંય પણ નીતિ, વ્યાપારિક પ્રમાણિકતા, ને દાંભિક સભ્યતા વગેરેને માને. ભલે જેટલું માને તેટલું પાળે કે ન પાળે, પણ માને ખરો ! શાથી ? દુનિયામાં એ વિના સજ્જનમાં ખપી શકાય તેમ નથી માટે ! વિરોધીઓ પણ જ્ઞાન તથા ચારિત્ર ઊંચામાં ઊંચું જૈનશાસનમાં છે એમ તો કહે છે જ જો એમ ન કહે તો એમને માને કોણ? એ તો માત્ર પ્રહાર દર્શન પર કરે છે ! “જેટલું જેટલું શાસ્ત્રકાર કહે તે જ કબૂલ હોય ?” – આમ પ્રશ્ન ઉઠાવે. “જ્ઞાન તથા ચારિત્રને માનીએ છીએ' - એમ કહે, પણ જેણે જ્ઞાન અને ચારિત્ર બતાવ્યું તેના જ વિરોધી ! પછી જ્ઞાન-ચારિત્ર તો વગર મહેનતે જાય જ ને ? હવે જો કર્મધૂનન કરવું હોય તો તેની જડને મજબૂત કરનારાં સાધનને કાપવાં પડશે. સિંહાદિ જંગલી હિંસક પશુઓને હાથમાં લઈ તે દ્વારા આજીવિકા ચલાવવી અને પ્રાણનાશકને જ પ્રાણપોષક બનાવવાં તે ક્યારે બને ? એની સ્વચ્છંદતા ઉપર કાપ મુકાય તો જ ! એના માટે લોખંડનું પાંજરું બનાવે, ગમે તે રીતે - લાલચથીય આકર્ષીને પણ, એકવાર તેને પાંજરામાં પેસાડવાની તમામ યોજના કરે. જંગલી હિંસક જાનવરોને પણ આ રીતે સહાયક બનાવાય છે. એની સ્વચ્છંદતા ઉપર કાપ મુકાયા વિના કંઈ બને નહિ. પાંજરામાં પેસે અને દરવાજો બંધ થયો એટલે એ જ પશ પાસે ધાર્યું કામ કરાવાય છે, પણ બહાર જ રહેવા દઈ હુકમ કરો તો શું જીવતા ઘેર આવવા દે? પાંજરામાં પેઠા પછી આક્રમણ કરવાની તાકાત હરાઈ ગઈ. પછી તો એટલી જ જગામાં આંટા મારે, પગ પછાડે, પૂંછડું પછાડે, આંખો કાઢે, બૂમરાણ કરે, પણ પછી ? આખરે તો એ બધું ભૂલી એ જ પશુ તાબે થાય. એની બધી ક્રૂરતાનો નાશ કરવા માટે મરજી મુજબ મહાલવાની એની બધી પ્રવૃત્તિ બંધ કરવી જોઈએ અને તો જ એની પાસે ધાર્યું કામ કરાવાય. મદારી પણ સર્પને ગળે ક્યારે વીંટે ? સર્પને પકડતાં પહેલું ડાચું પકડે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy