________________
–૩: શાસનના સૈનિકનું કર્તવ્ય : - 53
-
૨૭
સત્તા જામતી જાય અને એ જીવતી-જાગતી રહે. આજના વિપરીત વાતાવરણ વચ્ચે તેમજ જડવાદના જોસભેર ફૂંકાતા વાયુને યોગે અપવાદ તરીકે થોડા આત્મા બાદ કરતાં લગભગ બધા આત્માની આજે આ હાલત છે.
કર્મથી આત્માને જુદો કરી એનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરવું હોય તો ક્રમસર આત્માએ એવી કાર્યવાહી કરવી જોઈએ કે કર્મને પોતાની મેળે ખસવું જ પડે ત્યાંથી ખસવા માટે કર્મ પોતે જ ઊંચાં નીચાં થાય : કર્મ રહેવા ધારે તો પણ રહી શકે નહિ. અનાદિ કાળથી સત્તા જમાવી બેઠેલાં કર્મ પર સીધું આક્રમણ કરવાથી એ એકદમ જાય તેમ નથી : એ એકદમ કેમ માને ? માટે જ એ કર્મધૂનન કરવા માટે બીજાં ધૂનનોની યોજના કરી. કર્મના નિકટ સંબંધી કોણ કોણ છે, કર્મને તોડવા ઇચ્છતા આત્માએ ખાસ વિચારવું જ જોઈએ. ડગલે ને પગલે સંસારમાં એના સંબંધીઓ બેઠા છે. જૈનશાસનમાં ત્યાગની પ્રધાનતા છે, તેનો હેતુ જ આ ! અને તેમાં પણ પહેલો બાહ્ય વસ્તુનો ત્યાગ બતાવ્યો, કેમ કે સાધન જાય તો સાધ્ય ટકે ક્યાંથી ? અમુક વસ્તુ કે કાર્ય ન ગમે તો તેની જડ - તેનું સાધન ઉખેડવું જોઈએ. તમે વાંચ્યું હશે કે રેલવે બંધ રાખવાનો ઇરાદો ધરાવનારા પાટા ઉખેડી નાંખે છે. એંજિન ચાલુ હોય, કોલસા ભરેલા હોય, બાહોશ એન્જિનિયર હોય, ટૂંકમાં બધું જ તૈયાર હોય, પણ પાટા વિના રેલવે ચાલે ક્યાં ? જ્ઞાની મહાત્માઓએ પણ જોયું કે કર્મથી આત્માને ખસેડવા માટે એક જ માર્ગ છે અને તે એ કે જે માર્ગે એ જઈ રહ્યો છે તે માર્ગનાં સાધન કાપવાં જોઈએ. મજબૂત મૂળવાળા અને ડાળાં-પાંખડાંથી ફેલાયેલા ઝાડને કાપવા માટે કે ઉખેડવા માટે જાણકાર માણસો ડાળાં-પાંખડાં કાપવાની મહેનત ન કરે : એમાં તો સેંકડો માણસો જોઈએ : મહેનત ઘણી જ પડે અને છતાંયે એની જડ કાયમ રહે. એ તો એના મૂળમાં જ જે રેડવું હોય તે રેડે. મૂળ સડ્યું - મૂળ ઢીલું થયું એટલે વગર મહેનતે ઝાડ પડવાનું જ.
દુનિયામાં કળાબાજ આદમી સર્વને પ્રિય વસ્તુનો - એ પોતાને ન ગમે તો પણ ઇન્કાર ન કરે, પણ એ વસ્તુ જેનાથી ખીલે ને વધે તેના મૂળમાં અગ્નિ મૂકે તેમ આજે આપણે ત્યાં પાકેલા કપટબાજ કળાધરો પણ આ શાસનના મૂળમાં અગ્નિ મૂકવા મથી રહ્યા છે ! એ જ્ઞાન તથા ચારિત્રનો ઇન્કાર કરતા નથી. પણ દર્શનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org