________________
૩ઃ શાસનના સૈનિકનું કર્તવ્ય:
શાસનના સૈનિકનું કર્તવ્ય માત્ર આજ્ઞાપાલન જ હોઈ શકે ?
નિર્યુક્તિકાર મહર્ષિ શ્રી ભદ્રબાહુ સ્વામી મહારાજા ફરમાવી ગયા કે આઠ પ્રકારનાં કર્મોનું ધૂનન કરવું, તે ભાવધૂનન છે. ભાવધૂનન એટલે કે અનાદિ કાળથી લાગેલાં - આત્માની સાથે અનાદિ કાલથી વળગેલાં કર્મોનું ધૂનન ! એ કરવું સહેલું નથી. આત્મા અને કર્મ બેઉ ચક્ષુગમ્ય નથી : જડ પદાર્થોની માફક એ જોઈ શકાતાં નથી માત્ર અનુભવાય છે. અનુભવથી સિદ્ધ કરી શકાય છે કે આત્મા પણ છે : કર્મ પણ છે : સાથે એમ પણ પુરવાર થઈ શકે છે કે બે ભિન્ન છે, છતાં એવી રીતે જોડાએલ છે કે એકમેક સમ ભાસે છે. આ જ કારણે કેટલાક આત્માઓ એમાં એવા ગોંધાઈ ગયા છે કે એઓ આત્માને ‘કર્માધીની માની લે છે અને જીવનમાં જે થતું હોય તે નિરાબાધપણે થવા દે છે. પરિણામે અનાદિના સ્વભાવનો યોગ હોઈને આત્મા પાપવૃત્તિઓમાં પડતો જાય છે અને સત્યવૃત્તિઓથી કમનસીબ રહેતાં દુર્ગતિગામી બને છે. આજે તો કેટલાક જાણકાર પણ પોતાના અનંત શક્તિસંપન્ન આત્માને માટે હસતાં હસતાં ‘કર્માધીન' કહેતાં શરમાતા પણ નથી : જાણે કાદવમાં જ રાચી રહેલો કીડો ! બાકી જીવનનું વાસ્તવિક સ્વરૂપ સમજ્યા પછી તો એણે આત્માને “કર્માધીન' કહેવો પડે ત્યારે હૃદય રુવે, અંગે અંગે કંપારી છૂટે : જાણે એક મહાયોદ્ધો કારાવાસમાં પડ્યો હોય, જંજીરોથી જકડાયો હોય અને સાવ લાચાર બન્યો હોય ત્યારે એને પરતંત્રતા સ્વીકારવી પડે તેમ ! પરંતુ જ્યાં સુધી એ વસ્તુ બરાબર સમજાય નહિ, કર્મથી જ આત્માને ભવભ્રમણ કરવું પડે છે અને કર્મની હયાતી એ જ આત્મનાશ છે, એમ બરાબર હૈયે જચે નહિ તેમજ એ કર્મને કાઢવાની ભાવના ઉછાળા મારવાને બદલે એની આધીનતા સ્વીકારી એમાં જ રાચવામાગવામાં આવે તો પછી ‘કર્મધૂનન' થાય શી રીતે ? અંદરનાં કર્મ આત્માને તે તે પ્રકારના સારા-નરસા સંયોગોમાં મૂકીને મૂંઝવે અને કર્મ કરાવે તેમ કરવું એમ માનીને આત્મા તેમ કર્યું જાય. તો પરિણામ એ આવે કે કર્મની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org