SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ઃ શાસનના સૈનિકનું કર્તવ્યઃ 53 • શાસનના સૈનિકનું કર્તવ્ય માત્ર આજ્ઞાપાલન જ હોઈ શકે : • બાહ્યનું મમત્વ એ જ દુ:ખ ! • શ્રી ઉદાયનનું ઉત્તમ હૃદય : • સત્ય કોને કહેવાય ? શાસ્ત્ર સત્યની વ્યાખ્યા શી કરી ? વિષય: કર્મધૂનન કરવા માટે કર્મરૂપી વૃક્ષના મૂળમાં અગ્નિ ચાંપવા અંગે. બાહ્ય સંયોગનો ત્યાગ એ આંતરસંગ ત્યાગ પા. કર્મધૂનન કર્યા વિના મોક્ષ નથી અને કર્મને આત્માથી દૂર ખસેડવા માટે જ્ઞાન અને ચારિત્રની કાર્યવાહી કરવી જરૂરી છે. પણ સમ્યગ્દર્શન એ જ્ઞાન અને ચારિત્રનું મૂળ છે. એ જાય તો જ્ઞાન અને ચારિત્ર તો ગયેલાં જ છે. માટે આજના સુધારકો (!)નો હુમલો દર્શન ઉપર છે. એ વાત સમજાવવા માટે જંગલી પશુને વશ કરવાવાળાનું અને સર્પને ગળે વીંટળાવનાર મદારીનું દષ્ટાંત આપ્યું છે. મૂળને સડાવવાથી ઝાડ પડી જાય તેમ બાહ્ય સંયોગોનો ત્યાગ કરવાથી આંતરસંયોગોનો ત્યાગ થઈ શકે. જ્ઞાનાદિ દરેક ધર્મમાં બાહ્ય સંયોગોના ત્યાગની જ વાત આવે છે. ધર્મની રક્ષા માટે તો શાસનસુભટ બનીને યત્ન કરવો જોઈએ એ અંગે એક સૈનિકની ફરજ શું એ દર્શાવવા સાથોસાથ મહામંત્રી ઉદયનનો પ્રસંગ વર્ણવી વાતને પુષ્ટ કરી છે. પ્રવચનના અંતે સત્ય અને અસત્યનો વિવેક દર્શાવ્યો છે. • દર્શનના યોગે શાસન છે પણ દર્શનવિહીન જ્ઞાન-ચારિત્રના યોગે શાસન નથી ! • જીવન અને મરણની દરકાર વગર કર્તવ્યનિષ્ઠ રહેવાય તો જ આ શાસનની સેવા થઈ શકે તેમ છે ! • બાહ્ય સંયોગોનો ત્યાગ એ જ આંતરસંયોગો ઉપર પ્રહારનું કારણ છે. • અધમ દ્રવ્યના ત્યાગ વિના અને શ્રેષ્ઠ દ્રવ્યના આલંબન વગર ભાવની પ્રાપ્તિ પણ થતી નથી. • ધર્મી તો તે, કે જે ધર્મમાં બાધક હોય તેવા વ્યવહારને ઠોકર મારે અને ધર્મના સાધક વ્યવહારને માને. • પ્રભુની આજ્ઞાની આડે જે જે આવે તે તે ન જોઈએ. પછી ભલે તે લક્ષ્મી હોય, મા, બાપ, ભાઈ, સ્ત્રી, પુત્ર કે ગમે તે હોય પણ એ છોડવાનું ! • ઉભયનું હિત હોય તો ધર્મમાં થયેલી માયા એ અમાયા છે. • ઊંધી કોટિના આદમીએ ગમે તેવું સારું લખ્યું હોય પણ વાંચવું નહિ, કારણ કે એ એની છાયા નાખ્યા વિના રહે નહિ. • મિત, પ્રિય અને હિતવિશિષ્ટ તે સત્ય ! • બહુ બોલનાર મૃષાવાદી થઈ જવા સંભવ છે. સ્વ-પરહિત જેમાં સમાયું છે, તેને દુનિયા જો ખોટાના નામે સંબોધતી હોય તો પણ તે ખોટું પણ સાચું છે. • જોયેલું ને જાણેલું બધું બોલાય એમ નહિ, બોલવા જોણું જ બોલાય, બાકીનું ન બોલાય અને એ બોલાય તો સત્ય છતાંય અસત્ય બોલવાનું પાપ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy