________________
૨૪
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ --
-
7th
ઝળકતી રહે તો છેવટે મરણ વખતે પણ જાગતી રહે ! સંપત્તિથી ભાગવાની ભાવના જીવતી અને જાગતી હોય તો જ આ બને ને ? આનું નામ ભાવધૂનન. સમ્યગ્દષ્ટિ આત્માને મોક્ષ તથા સંયમ સિવાય કંઈ સારભૂત ન દેખાય, એવું આ શાસન માને છે. ત્રીજું કંઈ જેને સારભૂત દેખાય તે સમ્યગ્દષ્ટિ નથી. આ સમ્યગ્દષ્ટિની મર્યાદા છે. દેશવિરતિ શ્રાવકની તથા સાધુની મર્યાદા એથી પણ ઊંચી.
સમ્યગ્દષ્ટિ આત્માની એક જ ભાવના કે મુક્તિ ક્યારે મળે ? એ ભાવનાવાળાને સંયમ તો રોમરોમ પરિણમે. મુક્તિ તથા સંયમ -એ બે ચીજની સાથે એનાં સાધન તો આવી જ ગયાં. જેને એ ગમે તેને સાધન પણ ગમે જ. જેને સંયમ જોઈતું હોય તેને અસંગ બનવું પડે, અસંગ બનો તો સંયમ મળે અને તથાવિધ સાધો તો મુક્તિ મળે. છઠ્ઠા “ધૂત' અધ્યયનમાં અસંગતા બતાવવાની છે. જે આત્માનું સાધ્ય મોક્ષ હોય તેને તેનું સાધન સંયમ મેળવવા અસંગ પણ બનવું પડે અને કર્મને ત્યાજ્ય માનવું પડે. સમ્યગ્દર્શન બધું જ સમજાવે. કર્મની સત્તા, બળ વગેરે બધું બતાવે; પણ એ જુદું છે, આત્મા જુદો છે, એની સત્તા એનાથી પણ અનેરી છે, - એ પણ બતાવે. અસંગ બને તેની ચીકાશ મટે, ચીકાશ મટે તો કર્મમળ ટળે અને કર્મમળ ટળે તો મુક્તિ મળે ! - કુલચંદજી : સચ્ચી સ્વતંત્રતા યહી હૈ. લોક જો સ્વતંત્રતા કહ રહે હૈ વો ફિજુલ છે. વહી સ્વતંત્રતા સચ્ચી છે.
સૂત્રકાર ભગવાન શ્રી સુધર્માસ્વામીજી, નિર્યુક્તિકાર શ્રુતકેવળી ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજી અને ટીકાકાર ભગવાન શ્રી શીલાંકસૂરિજી ત્રણે ભેગા થઈને એ જ સમજાવે છે કે અનાદિકાળથી વળગેલા ભૂતને છોડો. કહો, કેવા ઉપકારી ! કહેવું જ પડશે કે અપૂર્વ ઉપકારી ! હવે એ ત્રણે પરમર્ષિઓ શું શું સમજાવે છે, તે હવે પછી -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org