________________
૨ : સાચી સ્વતંત્રતાનો સાચોમાર્ગ - 52
બન્યું. છ મહિના ધીરજ ધરી તો એ પરિણામ આવ્યું. છ છ મહિના સુધી આટલું કલ્પાંત કરાવ્યું, ઉત્પાત કરાવ્યો, આર્તધ્યાન કરાવ્યું તો એ આરાધક કે વિરાધક એમ કોઈ પૂછે તો જૈનશાસન કહે છે કે વિરાધકપણાનો ત્યાં અંશ પણ નથી અને સંપૂર્ણપણે એમાં આરાધન જ છે. જો રાજ્યનું મમત્વ રહે તો બંધન લાગે. મરતી વખતે છોડી જાઓ તે ચીજનું પણ પાપ લાગે છે.
સભા : વોસરાવી નથી માટે !
એ તો છે જ. સાંજ-સવાર જો બુદ્ધિ છોડવાની જાગે તો તો મરતાં જાગે, પણ જીવતાં જે ભાવના ન જાગે તે મરતાં કેમ જાગે ? સાવધ હોય અને પાંચે ઇંદ્રિયો સારી હોય ત્યાં સુધી ન છોડે તે ઇંદ્રિયો બુઠ્ઠી થાય ત્યારે મરતી વખતે શી રીતે છોડે ? એ વખતે તો પરદેશ ગયેલા કીકાને તાર કરીને બોલાવાય વીલની વાતો ચાલે : એમાં ને એમાં નવકાર અને સ્વાધ્યાય તથા શુભ ધ્યાન એ બધું જ રહી જાય. છેલ્લા ચાર દિવસ તો ૫૨વા૨વાના ! કીકાને પૈસા આપે તો જ કીકો પરલોકમાં કાગળ લખે ને ? જિંદગીમાં જેવો અભ્યાસ હોય તેવો ત્યાં ઉદય આવે ને ? મરતી વખતે જે કરવું હોય, જે કરવા યોગ્ય હોય તેનો જીવતાં અભ્યાસ કરો તો મરતી વખતે જોઈતી સમાધિ આવે અને સમાધિમરણ થાય. શાસનમાં સારભૂત માત્ર બે જ વસ્તુ છે - સંયમ અને મુક્તિ :
763
એક મંત્રી રાજાની સાથે યુદ્ધમાં ગયો છે. પોતે શ્રાવક છે. મંત્રીપદે છે. રાજાનો સેવક છે. એ સ્થિતમાં એ કાર્યવાહી કરવી પડે છે માટે એ યુદ્ધમાં ગયો, પણ એ રાચીમાચીને સેવતો નથી. યુદ્ધમાં પણ એનો એ કાયદો કે સામો પ્રહાર કરે તો જ પ્રહાર કરવો. યુદ્ધમાં સામાનો પ્રહાર મર્મસ્થાને વાગ્યો, ઘાયલ થયો. થયું કે હવે નહિ બચું ! તરત માણસોને કહ્યું કે ‘ઉઠાવો, દૂર લઈ જાઓ, ત્યાં સુવાડો, હવે બીજું કરવાનું કંઈ નહિ. ચાર આહારનો ત્યાગ કરવાનો, કરેલા તથા લાગેલા પાપની આલોચના કરવાની, હૃદયથી બધા પદાર્થોનો પરિત્યાગ કરવાનો, અંતિમ સમયનું આરાધન-અનશન કરવાનું, અને પ્રભુનો સર્વ ત્યાગ આદરવાનો.’ આ બધું કર્યું. કચાં ? યુદ્ધમાં, જંગલમાં ! શાથી ? આત્મા જાગતો હતો, અભ્યાસથી ટેવાયેલો હતો એથી ! બાકી આજ તો તમે આંખ સામે જુઓ મોટા ભાગે ‘ઓ બાપ-ઓ બા' - માં જ પ્રાણ ચાલ્યા જાય છે. સમ્યગ્દષ્ટિ આત્માનું સ્થાન તથા તેની કાર્યવાહી એવી હોય કે હંમેશાં ઉત્તમ ભાવનાઓ હૃદયમાં જીવતી અને જાગતી રહે. જીવનમાં ઉત્તમ ભાવના
છો
Jain Education International
૨૩
For Private & Personal Use Only
www.jainelibrary.org